સંગમમાં સ્નાન કરનારા લોકોના સ્વાસ્થ્ય પર થશે અસર? રિપોર્ટમાં કરાયો મોટો દાવો

Maha Kumbh 2025: કુંભ મેળા દરમિયાન ગંગા અને યમુનાના પાણીની ગુણવત્તા અંગે NGTમાં દાખલ કરાયેલા રિપોર્ટમાં ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
NGTમાં દાખલ કરાયેલા CPCB રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રયાગરાજ અને તેની આસપાસ ગંગા નદીની પાણીની ગુણવત્તા અંગે ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે.

સીપીસીબીના રિપોર્ટમાં પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓમાં ખાસ કરીને માઘ મેળા અને કુંભ મેળા દરમિયાન જળ પ્રદૂષણના ભયજનક સ્તર તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. આ અહેવાલમાં જણાવાયું છે કે પાણીની ગુણવત્તાના મહત્વપૂર્ણ ધોરણોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી. જે જાહેર આરોગ્ય અને પર્યાવરણીય ટકાઉપણું અંગે ચિંતાઓ ઉભી કરે છે.
નદીના પાણીની ગુણવત્તામાં ઘટાડોઃ મોટાભાગના નિરીક્ષણ સ્થળોએ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) સ્તર સ્નાન કરવા યોગ્ય પાણીને લઇને જે માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે તેનાથી વધુ જણાયું હતું.
સમગ્ર ઘટના દરમિયાન તમામ દેખરેખ સ્થળોએ ફેકલ કોલિફોર્મ (FC) સ્તરમાં વધારો જોવા મળ્યો હતો. આનાથી ધાર્મિક સ્નાનમાં ભાગ લેનારા ભક્તોના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર જોખમ ઊભું થયું.
આ ઉપરાંત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તેમની ક્ષમતા કરતાં વધુ કામ કરતા જોવા મળ્યા છે. નોંધનીય છે કે પ્રયાગરાજમાં 340 એમએલડીની કુલ ઉપચાર ક્ષમતા દસ (10) કાર્યરત STP છે
7 STP ગંગામાં શુદ્ધ કરેલ ગંદા પાણી છોડે છે, જ્યારે ૩ તેને યમુનામાં છોડે છે. સલોરી ખાતેના 14 એમએલડી એસટીપી સિવાય મોટાભાગના એસટીપી તેમની સ્થાપિત ક્ષમતા કરતાં વધુ કાર્યરત હતા.
જિયો-ટ્યુબ ફિલ્ટ્રેશન સિસ્ટમ ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. માહિતી અનુસાર, પ્રયાગરાજમાં 6-8 જાન્યુઆરી અને 18-19 જાન્યુઆરી, 2025 દરમિયાન સાત (07) જિયોસિન્થેટિક ડીવોટરિંગ ટ્યુબ (જીઓ-ટ્યુબ) સાઇટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નમૂના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે તમામ સાત જિઓ-ટ્યુબ નિર્ધારિત ધોરણોને અનુરૂપ ન હતી.
રિપોર્ટમાં સદર બજાર ડ્રેઇન, રાજાપુર ડ્રેઇન, ADA કોલોની/જ્વાલા દેવી ડ્રેઇન, ઝોંઢવાલ ડ્રેઇન, શિવકુટી ડ્રેઇન, સલોરી ડ્રેઇન અને સસુર ખદેરી ડ્રેઇન સહિત મુખ્ય ડ્રેઇનના ઇનલેટ અને આઉટલેટ પોઇન્ટ પર ફ્લો મીટરનો અભાવ જોવા મળ્યો. પર્યાવરણ અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા CPCB રિપોર્ટમાં પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસોમાં ગંભીર ખામીઓ દર્શાવવામાં આવી છે.હવે NGTમાં આ કેસની આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ થશે.