Ram Mandir: કોણે તૈયાર કરી હતી આ ભવ્ય રામ મંદિરની આખી ડિઝાઇન ?

અયોધ્યામાં રામલલાનું મંદિર લગભગ સંપૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યુ છે અને ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે

(તસવીર સોશ્યલ મીડિયા પરથી)

1/7
Ram Mandir Inauguration: આગામી 22મી જાન્યુઆરીએ 500 વર્ષ બાદ રામલલ્લા પોતાના મંદિરમાં અયોધ્યામાં બિરાજમાન થવાના છે. અયોધ્યામાં રામલલાનું મંદિર લગભગ સંપૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યુ છે અને ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે. પરંતુ આજે અમે તમને અહીં ખાસ માહિતી આપી રહ્યાં છીએ, કે રામ મંદિરની આ ભવ્ય અને સંપૂર્ણ ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? જાણો
2/7
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ તેને દરેક માટે ખોલવામાં આવશે.
3/7
ભવ્ય રામ મંદિરની તસવીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે મંદિર કેટલું સુંદર છે.
4/7
મંદિરની ભવ્યતા જોઈને દરેકના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તેની રચના કોણે કરી છે.
5/7
રામ મંદિરના ડિઝાઇનર ચંદ્રકાંત સોમપુરા છે, જેમની 15 પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરવામાં આવી રહી છે.
6/7
સોમપુરા પરિવારે અત્યાર સુધીમાં દેશના અનેક મોટા મંદિરોની ડિઝાઈન તૈયાર કરી છે. જેમાં ગુજરાતના સોમનાથ મંદિર અને બિરલા મંદિરનો પણ સમાવેશ થાય છે.
7/7
લગભગ 30 વર્ષ પહેલા ગુજરાતના રહેવાસી ચંદ્રકાંત સોમપુરાએ રામ મંદિર આંદોલન દરમિયાન ડિઝાઇન તૈયાર કરી હતી, જેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા અને હવે તેને મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
Sponsored Links by Taboola