Ram Mandir Inauguration: ક્યારેક રામલલ્લા તો ક્યારેક મોદીને જોતા રહ્યાં મોહન ભાગવત, પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાનની તસવીરો

અયોધ્યામાં ભગવાન રામલલાના અભિષેકનો કાર્યક્રમ ચાલી હતો, તે દરમિયાનની ખાસ તસવીરો સામે આવી છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Ramlala Pran Pratishtha: રામ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપના અભિષેકનો કાર્યક્રમ શરૂ થયો અને બાદમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે પુરો થયો હતો. આ અવસર પર પીએમ મોદી સહિત અનેક લોકો ભગવાન રામલલાની પૂજામાં સામેલ થયા હતા.
2/6
અયોધ્યામાં ભગવાન રામલલાના અભિષેકનો કાર્યક્રમ ચાલી હતો, તે દરમિયાનની ખાસ તસવીરો સામે આવી છે. રામલલાની પૂજામાં પીએમ મોદી, આરએસએસ ચીફ મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથ સહિત અનેક લોકો સામેલ થયા હતા.
3/6
પૂજાના સમયે મોહન ભાગવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાજુમાં બેઠા છે. પીએમ મોદી પૂજા કરી હતી, અને નજીકમાં બેઠેલા મોહન ભાગવત ક્યારેક રામલલા તરફ જોઈ રહ્યા હતા તો ક્યારેક પીએમ મોદી તરફ જોઈ રહ્યા હતાં.
4/6
રામલલ્લાના અભિષેક કાર્યક્રમમાં પીએમ મોદીએ ક્રીમ રંગનો કુર્તો અને ધોતી પહેરી હતી, એટલું જ નહીં પીએમ મોદી રામલલા માટે ચાંદીની છત્રી લઈને પહોંચ્યા હતા. રામલલ્લાના અભિષેક કાર્યક્રમમાં પીએમ મોદીએ ક્રીમ રંગનો કુર્તો અને ધોતી પહેરી છે. આટલું જ નહીં પીએમ મોદી રામલલા માટે ચાંદીની છત્રી લઈને પહોંચ્યા હતા.
5/6
અભિષેક પહેલા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે અયોધ્યા ધામમાં શ્રી રામ લાલાના અભિષેકની અલૌકિક ક્ષણ દરેકને ભાવુક કરી દેશે. આ દિવ્ય કાર્યક્રમનો ભાગ બનવું એ મને ખૂબ જ આનંદ છે. જય સિયા રામ.
6/6
રામ મંદિરના પૂજનનો કાર્યક્રમ કંઈક આવો છે, સૌપ્રથમ નિત્ય પૂજન, હવન પારાયણ, ત્યાર બાદ દેવ પ્રબોધન, પ્રતિષ્ઠા પૂર્વકૃત્ય, દેવપ્રાણ પ્રતિષ્ઠા, મહાપૂજા, આરતી, પ્રસાદોતસર્ગ, ઉત્તરાંગકર્મ, પૂર્ણાહુતિ, આચાર્યને ગોદાન, કર્મેશ્વરાર્પણ, બ્રાહ્મણોને પૂજન. ભોજન, પ્રતિષ્ઠાક પુણ્યવચન, બ્રાહ્મણ દક્ષિણા દાન વગેરે સંકલ્પ, આશીર્વાદ અને પછી કાર્ય સમાપ્ત થયું હતું.
Sponsored Links by Taboola