યોગી આદિત્યનાથ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા, રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો કર્યો દાવો, જુઓ Photos

Yogi Adityanath Oath Ceremony: યોગી આદિત્યનાથને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા. તેઓ શુક્રવારે સાંજે લગભગ 4 વાગે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નિરીક્ષક તરીકે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસની હાજરીમાં યોગીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બીજેપી ધારાસભ્ય દળના સૌથી વરિષ્ઠ સભ્ય સુરેશ કુમાર ખન્નાએ યોગીના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેના પર તમામ ધારાસભ્યો સહમત થયા.

ત્યારબાદ યોગી રાજભવન ગયા અને રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા અને ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો કર્યો. ઉત્તરપ્રદેશ વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને 255 બેઠકો મળી હતી, જ્યારે તેના સહયોગી અપના દળ સોનેલાલને 12 અને નિષાદ પાર્ટીને 6 બેઠકો મળી હતી.
યોગી કેબિનેટનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ શુક્રવારે લખનૌના અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ, અન્ય વરિષ્ઠ ભાજપના નેતાઓ અને વિવિધ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓની હાજરીમાં યોજાનાર છે.
સૂત્રોનું કહેવું છે કે ભાજપ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે જાળવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે લગભગ 46 મંત્રીઓ શપથ લઈ શકે છે. પાર્ટીના ઘણા લોકો માને છે કે ભાજપ શ્રીકાંત શર્માને ફરીથી મંત્રી બનાવશે. સૂત્રોએ જણાવ્યું કે બે પૂર્વ અધિકારીઓ અસીમ અરુણ અને રાજેશ્વર સિંહને મંત્રી બનાવવામાં આવી શકે છે.
વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ યોગીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે પાર્ટીએ મને ફરીથી જવાબદારી સોંપી છે. હું ફરીથી વચન આપું છું કે અમે ઉત્તરપ્રદેશની 25 કરોડ જનતા જનાર્દનની ભગવાન તરીકે સેવા આપવા માટે પૂરી ઇમાનદારી અને તત્પરતા સાથે વડાપ્રધાનના વિઝન મુજબ, ખચકાટ વિના, થાક્યા વિના કામ કરીશું. અમારો આખો ધારાસભ્ય પક્ષ આ અભિયાનનો સાક્ષી બન્યો અને એક ટીમ તરીકે કામ કરતો જોવા મળ્યો.