Rajkot: માતાજીના દર્શન કરવા જીવના જોખમે કોઝવે પાર કરતાં શ્રદ્ધાળુઓ, જુઓ તસવીરો

Rajkot જીવના જોખમે માતાજીના દર્શન કરવા માટે હજારો લોકોએ ધસમસતા પ્રમાણમાં પુલ પરથી પસાર થયા.

રાજકોટ

1/9
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે અંબાજી મંદિરે પાસે આવેલા કોઝવે જીવના જોખમે લોકોએ પસાર કર્યો
2/9
તંત્રને અહીં એક પુલ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. પણ પુલ બનાવવામાં ન આવતા લોકો જાનના જોખમે આ કોઝવે પરથી પસાર થાય છે.
3/9
નવરાત્રિ દરમિયાન પણ હજારો લોકો માતાજીના દર્શન કરવા આવતા હોય છે.
4/9
કોઝવે પર પાણી ફરી વળે ત્યારે ત્રણ કિલોમીટર સુધીનો ફેરો થાય છે, જેથી શ્રદ્ધાળુઓ જીવના જોખમે પુલ પસાર કરે છે.
5/9
જો પુલ બનાવવામાં આવે તો લોકોને સરળતા રહે તેવી માંગ ઉઠવા પામી છે. તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી છતાં પુલ બનાવવામાં આવતો નથી.
6/9
અહીંયા જન્માષ્ટમી અને નવરાત્રી બંને પર હજારો લોકો અંબાજી માતાના દર્શન આવતા લોકોની ભારે ભીડ રહે છે.
7/9
અહીં દર્શન કરવા માટે પાંચવડા, સાણથલી,જસાપર જસદણ,વીરનગર કોટડા જંગવડ ગામડાઓના લોકો આવે.
8/9
તંત્ર દ્વારા આ પુલ બનાવવામાં આવતો નથી વહેલી તકે પુલ બનાવવામાં આવે તેવી લોકમાગણી પણ ઉઠી છે.
9/9
પુલ ન હોવાના કારણે ચોમાસામાં કોઝવે પરથી પાણી પસાર થતું હોય ત્યારે શ્રદ્ધાળુએ અહીં જીવના જોખમે પસાર થવું પડે છે.
Sponsored Links by Taboola