In Photos: રાજકોટના લોકમેળાએ કરી જમાવટ, માનવ મેરામણ ઉમટી પડ્યું

Rajkot Melo: પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ ‘‘રસરંગ લોકમેળા-૨૦૨૩’’નો શુભારંભ કરાવ્યો હતો. રાજકોટના લોકમેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો આવી રહ્યા છે.

રાજકોટમાં જામ્યો લોકમેળો

1/8
જન્માષ્ટમીના તહેવારોમાં 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ લોકમેળામાં રમકડાના, ખાણીપીણી, આઈસ્ક્રીમ, નાની ચકરડી, ફજર ફાળકા રાઇડસના સહિતના 355 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
2/8
સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા એ આપણી સંસ્કૃતિ છે. વિવિધતામાં એકતાની આપણી બહુરંગી સંસ્કૃતિ મેળાઓએ જાળવી રાખી છે. દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે.
3/8
સુરેન્દ્રનગર,ભાવનગર,મોરબી,ગોંડલ ધોરાજી,ઉપલેટા ગીર સોમનાથ, બોટાદ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો કરવા આવે છે.
4/8
લોકમેળામાં અલગ અલગ ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ, રમકડા અને ઘરવપરાશના સ્ટોલ હાઉસફુલ થઈ ગયા છે.
5/8
મેળામાં અલગ અલગ વીસ કરતાં વધારે સુરક્ષા માટે ટાવરો ગોઠવવામાં આવ્યા છે. લોક મેળામાં રાઉન્ડ ક્લોક 2000 કરતા વધારે પોલીસ જવાનો તૈનાત કરાય છે.
6/8
મેળો માણવા આવેલા લોકોએ કહ્યું રાજકોટનો લોક મેળો માણવો એક લ્હાવો છે.
7/8
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકો સાતમ અને આઠમ બે દિવસ સૌથી વધુ મેળો કરવા માટે આવે છે.
8/8
મેળામાં ચકડોળ તથા વિવિધ રાઈડ્સમાં બેસવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
Sponsored Links by Taboola