સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
તાપી નદીનો કોઝવે ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો, હાઈવે પર ટ્રાફિક જામ અને મોલમાં પાણી ઘૂસતા વાહનો ગરકાવ.
Continues below advertisement

સુરત શહેરમાં આજે મેઘરાજાએ જાણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બપોરના સમયે માત્ર 2 જ કલાકમાં આકાશમાંથી એવી આફત વરસી કે આખું શહેર પાણી-પાણી થઈ ગયું. ચોમેર જળબંબાકારની સ્થિતિ વચ્ચે સુરતીઓનું જનજીવન ખરાબ રીતે ખોરવાયું છે, જેને પગલે તંત્રએ પણ તાત્કાલિક એક્શન લેતા આવતીકાલે (બુધવારે) શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.
Continues below advertisement
1/7
આંકડાઓ પર નજર કરીએ તો, બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીના ટૂંકા સમયગાળામાં પડેલા વરસાદે હાહાકાર મચાવી દીધો છે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, સૌથી વધુ ખાનાખરાબી ઈસ્ટ ઝોન (B) માં થઈ છે, જ્યાં માત્ર 2 કલાકમાં જ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.
2/7
આ ઉપરાંત ઈસ્ટ ઝોન (A) માં 8.5 ઈંચ, સાઉથ ઈસ્ટ ઝોનમાં 7 ઈંચ અને નોર્થ ઝોનમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સેન્ટ્રલ અને સાઉથ ઝોનમાં 3-3 ઈંચ તેમજ વેસ્ટ અને સાઉથવેસ્ટ ઝોનમાં 1-1 ઈંચ વરસાદ પડતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો તળાવમાં ફેરવાયા છે.
3/7
ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48 પર કામરેજ ચાર રસ્તા પાસે હજુ પણ પાણી ઓસર્યા નથી, જેના લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. સુરતના પુણા વિસ્તારની હાલત પણ અત્યંત કફોડી બની છે.
4/7
પુણાગામમાં ભૈયાનગર પાસે અને ખાસ કરીને રાજમહેલ એસી મોલમાં પાણી ઘૂસી ગયા હોવાની તસવીરો સામે આવી છે. મોલના પાર્કિંગમાં રહેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
5/7
શહેરમાં ઠેર-ઠેર ભરાયેલા પાણી અને વાહનવ્યવહારની મુશ્કેલીઓને જોતા, વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આવતીકાલે બુધવારે સુરતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો સત્તાવાર આદેશ આપી દેવામાં આવ્યો છે.
Continues below advertisement
6/7
બીજી તરફ, સુરતની જીવાદોરી સમાન તાપી નદી પર આવેલા કોઝવેએ પણ ભયજનક સપાટી વટાવી દેતા ચિંતા વધી છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર નક્કી કરાઈ છે, પરંતુ ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં હાલમાં તે 7.16 મીટરની સપાટીએ વહી રહ્યો છે.
7/7
હાલ કોઝવે પરથી 67,126 ક્યુસેક જેટલું પાણી ધોધમાર ઓવરફ્લો થઈ રહ્યું છે. આ સ્થિતિને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.
Published at : 07 Jul 2026 06:57 PM (IST)