ભારતીય સરહદ પર ચીને વસાવ્યા 50 ગામ, વધુ 100 ગામ બનાવવાની તૈયારી
ચીન ભારતીય સરહદ નજીકના વિસ્તારોમાં સ્થપાયેલા નવા ગામોમાં રહેવા માટે લોકોને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ પગલાનો હેતુ LAC પર નજર રાખવા અને તેની વસ્તી વધારવાનો છે. ચીને હવે ભારતને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાનો અંકુશ વધારવા માટે એક નવું પગલું ભર્યું છે. તેણે LAC પર 50 ગામો વસાવી લીધા છે અને તેની આ ચાલનો ખુલાસો ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ચીન આવું એટલા માટે કરી રહ્યું છે જેથી તે ભારત સાથેના વિવાદ વચ્ચે પોતાનો અંકુશ અને વર્ચસ્વ જાળવી શકે. આ તેમની વ્યૂહરચનાનો એક ભાગ છે.
આ પગલા હેઠળ ચીન આ વિસ્તારોમાં ચીનની વસ્તી વધારવા અને સરહદ પરની ગતિવિધિઓ પર નજર રાખવા માંગે છે. ચીનની સરકાર આ ગામડાઓમાં રહેવા માટે લોકોને પ્રોત્સાહન પણ આપી રહી છે. આ 50 ગામો સિવાય ચીને 100 વધુ નવા ગામોમાં પણ ઘર બનાવ્યા છે.
રિપોર્ટ અનુસાર, આ વિસ્તારોમાં રહેતા લોકો સરહદોની રક્ષા કરશે અને આ રીતે ચીનને તે વિસ્તારોમાં મજબૂત પકડ બનાવવામાં મદદ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં હિમાલયની તળેટીમાં એક વિકસિત કુયોંગલિંગ ગામ બનાવવામાં આવ્યું છે. જ્યાં પહેલા ખાલી ખીણ હતી. હવે ચીનને અહીં સૈનિકો તૈનાત કરવામાં કોઈ સમસ્યા નથી.
ચીને તમામ નવા ગામડાઓમાં કાયમી મકાનો, વીજળી, પાણી, ઈન્ટરનેટ અને રસ્તાની સંપૂર્ણ સુવિધા પૂરી પાડી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવા લોકોને સરહદ રક્ષક કહે છે.
સેટેલાઇટ તસવીરો એ પણ દર્શાવે છે કે ચીને ભારત સાથેની તમામ હિમાલયની સરહદો નજીક ગામડાં સ્થાપ્યા છે.