India Canada Relations: ભારત સાથે વિવાદ કેનેડાને કેટલો પડી શકે છે ભારે? જાણો શું થઇ શકે છે અસર?

India Canada Relations: કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારત અને કેનેડા વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. કેનેડામાં શિક્ષણથી લઈને શ્રમ અને વ્યવસાય સુધી ભારતીય મૂળના લોકો વિશેષ ભૂમિકા ભજવે છે.

કેનેડાના પીએમ

1/7
India Canada Relations: કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારત અને કેનેડા વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. કેનેડામાં શિક્ષણથી લઈને શ્રમ અને વ્યવસાય સુધી ભારતીય મૂળના લોકો વિશેષ ભૂમિકા ભજવે છે.
2/7
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ આ વર્ષની શરૂઆતમાં એક રિપોર્ટ જાહેર કરતા કહ્યું હતું કે છેલ્લા એક દાયકામાં કેનેડા જનારા ભારતીયોની સંખ્યા 32828 થી વધીને 1,49,715 થઈ ગઈ છે. એટલે કે 326 ટકાનો વધારો થયો છે. કેનેડાની યુનિવર્સિટીઓમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 5800 ટકાનો વધારો થયો છે. દેશમાં 8 લાખ વિદેશી વિદ્યાર્થીઓ છે, જેમાંથી 40 ટકા ભારતીય છે.
3/7
કેનેડામાં રહેતા ભારતીયોની સંખ્યા પરથી અંદાજ લગાવી શકાય છે કે ત્યાંના અર્થતંત્રમાં ભારતીયોની મોટી ભૂમિકા છે. વિદેશી વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડાના અર્થતંત્રમાં 22.3 બિલિયન ડોલરનું યોગદાન આપે છે. ખાસ વાત એ છે કે ખાનગી કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓ કેનેડાના વિદ્યાર્થીઓ કરતાં પાંચ ગણી વધુ ફી ચૂકવે છે.
4/7
કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ વાર્ષિક ધોરણે 14,306 ડોલર ટ્યુશન ફી ચૂકવે છે, જ્યારે સ્થાનિક વિદ્યાર્થીઓ વાર્ષિક 3,228 ડોલર ચૂકવે છે. એટલે કે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાની કોલેજોમાં મોટી રકમ ચૂકવી રહ્યા છે. કેનેડાના ભૂતપૂર્વ ઓડિટર જનરલ બોની લિસિકે પણ જણાવ્યું છે કે કેનેડાની કોલેજનું અર્થતંત્ર વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી આવતા ભંડોળ પર આધારિત છે.
5/7
આ કોલેજો અને વિદ્યાર્થીઓની વાત છે પરંતુ કેનેડાની અર્થવ્યવસ્થામાં માત્ર ભારતીય વિદ્યાર્થીઓનું યોગદાન નથી. કેનેડામાં રિયલ એસ્ટેટ માર્કેટને જાળવી રાખવામાં પણ ભારતીયો મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાથે વિદેશી વિદ્યાર્થીઓ ઘણા ક્ષેત્રોમાં ઓછા પગારની નોકરી કરે છે. જો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા આવવાનું બંધ કરશે તો સ્વાભાવિક છે કે ત્યાં કામદારોની ભારે અછત સર્જાશે.
6/7
કેનેડામાં 100 બિઝનેસ માલિકોમાંથી 33 ટકા ઇમિગ્રન્ટ્સ છે. તેમાં ભારતીયો પણ મોટી સંખ્યામાં છે. એકંદરે, કેનેડા માટે ભારતીયો વિના કામ કરવું ખૂબ મુશ્કેલ બનશે. પછી તે વિદ્યાર્થીઓ હોય, દુકાનદારો હોય, વેપારીઓ હોય કે સામાન્ય કામદારો હોય. કેનેડામાં દરેક ક્ષેત્રમાં ભારતનો મોટો હિસ્સો છે.
7/7
બંને દેશો વચ્ચેના સંબંધોને જોતા એ વાત ચોક્કસ છે કે કેનેડામાં રહેતા ભારતીયો પર આની અસર ચોક્કસપણે થશે. જો કે નિષ્ણાતોએ કહ્યું કે હાલમાં પ્રવાસીઓ પર કોઈ અસર નહીં થાય પરંતુ કેનેડામાં ભારતીયોએ સાવચેત રહેવાની જરૂર છે.
Sponsored Links by Taboola