IND vs BAN: કોહલીએ 36 વર્ષની ઉંમરે બનાવ્યો મોટો રેકોર્ડ, કરી ભૂતપૂર્વ કેપ્ટનની બરાબરી કરી; બાંગ્લાદેશ સામે રચ્યો ઇતિહાસ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ 2 કેચ લીધા હતા. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનારા વિરાટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની બરાબરી કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી. વિરાટે પહેલી ઇનિંગમાં કુલ 2 કેચ પકડ્યા. તેનો પહેલો કેચ વિરોધી કેપ્ટન નઝમુલ હુસૈનનો હતો, જે શૂન્ય રને આઉટ થયો હતો. કોહલીએ બીજો કેટ અલીને ઝડપ્યો, જેણે 68 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં ૧૫૬ કેચ પકડ્યા છે. તે અઝહરુદ્દીન સાથે સંયુક્ત રીતે સૌથી વધુ કેચ લેનાર ભારતીય ખેલાડી બની ગયો છે. અઝહરુદ્દીને ૩૩૪ વનડે મેચોમાં ૧૫૬ કેચ પકડ્યા છે. વિરાટ કોહલીએ એક મેચમાં સૌથી વધુ 3 કેચ લીધા છે.
આ યાદીમાં કોહલીથી 2 ખેલાડીઓ આગળ છે. ODI ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેનાર ખેલાડી શ્રીલંકાના મહેલા જયવર્ધને છે, તેના નામે 218 કેચ છે. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ છે, તેણે ૧૬૦ કેચ પકડ્યા છે.
વિરાટ કોહલીની ફિટનેસ ઉત્તમ છે, જે અન્ય ખેલાડીઓને પણ પ્રેરણા આપે છે. કોહલી બેટની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ પોતાનું કૌવત બતાવે છે. ભલે ટેસ્ટ ક્રિકેટ કેમ ન હોય, કોહલી હંમેશા મેદાન પર ચપળ દેખાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતનો બાંગ્લાદેશ સામેનો આ પહેલો મુકાબલો છે. આ પછી ભારતીય ટીમ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સાથે રમશે. ભારતે ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. ભારત તેની બધી મેચ દુબઈમાં રમશે.