ઋષભ પંતની તુલના વિરાટ કોહલી સાથે થવી જોઇએ, અશ્વિનનું મોટું નિવેદન

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને એક મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની સરખામણી મહાન ખેલાડી વિરાટ કોહલી સાથે થવી જોઈએ.

આર.અશ્વિન, ઋષભ પંત, વિરાટ કોહલી

1/6
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને એક મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની સરખામણી મહાન ખેલાડી વિરાટ કોહલી સાથે થવી જોઈએ. પંતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બે શાનદાર અડધી સદી ફટકારી હતી.
2/6
પંતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં પંતે 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ પછી પંતે બીજી ઇનિંગમાં પણ શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો.
3/6
પંતે બીજી ઇનિંગમાં 118 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં પંતે 15 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ સદી સાથે તે ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનાર માત્ર બીજો વિકેટકીપર બેટ્સમેન બન્યો હતો.
4/6
આ શાનદાર ઇનિંગ પછી અશ્વિને પંતની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે પંતની સરખામણી કોહલી જેવા બેટ્સમેન સાથે કરી હતી. અશ્વિને પંતની બોલ ઝડપથી સમજી જવાની ક્ષમતાની પણ પ્રશંસા કરી હતી.
5/6
અશ્વિને કહ્યું હતું કે, "પંતની સરખામણી કોહલી જેવા ખેલાડીઓ સાથે થવી જોઈએ. તે એક મહાન બેટ્સમેન છે. કારણ કે તેની પાસે ઘણો સમય છે. ફક્ત કેટલાક ખાસ બેટ્સમેનોને જ બોલને ઝડપથી સમજવાની આદત હોય છે. તેઓ ઝડપથી સારી સ્થિતિમાં આવી જાય છે. પંત તે ખેલાડીઓમાંથી એક છે
6/6
પંતે ઇંગ્લેન્ડ સામે બે સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે હવે ભારતીય વિકેટકીપર બેટ્સમેન તરીકે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેના નામે સાત સદી છે.
Sponsored Links by Taboola