ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ હારનાર કેપ્ટનમાં રોહિત શર્માનું નામ થયું સામેલ, જાણો કોણ છે પ્રથમ નંબરે?
Rohit Sharma: રોહિત શર્મા તે ભારતીય કેપ્ટનોની યાદીમાં સામેલ થઇ ગયો છે જેને ઘરેલું ટેસ્ટમાં સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્મા ભારતના તે કેપ્ટનમાં સામેલ થઇ ગયો છે જેણે તેની કેપ્ટનશીપ હેઠળ ઘરઆંગણે રમાયેલી ટેસ્ટમાં સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા એવા કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓને ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટમાં હારનો સામનો કર્યો છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 16 ઘરઆંગણાની ટેસ્ટ રમી છે. આ મેચોમાં ટીમ ઈન્ડિયાનો 5 પરાજય થયો હતો. રોહિત ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ હારનો સામનો કરનાર બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે.
મન્સૂર અલી ખાન પટૌડી: મન્સૂર અલી ખાન પટૌડી આ યાદીમાં ટોચના સ્થાને છે, જેમની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 27 ઘરઆંગણે ટેસ્ટ રમી હતી. આ મેચોમાં ટીમ ઈન્ડિયાને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કપિલ દેવઃ કપિલ દેવ એવા કેપ્ટનોની યાદીમાં ત્રીજા ક્રમે આવે છે જેઓ સૌથી વધુ ઘરેલુ ટેસ્ટ હાર્યા છે. કપિલ દેવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 20 ઘરઆંગણે ટેસ્ટ રમી હતી, જેમાં તેને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મોહમ્મદ અઝહરુદ્દીન: યાદીમાં આગળનું નામ મોહમ્મદ અઝહરુદ્દીનનું છે. અઝહરુદ્દીનની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 20 ઘરઆંગણે ટેસ્ટ રમી હતી, જેમાં તેને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.