Photos: ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓએ નથી રમી એકપણ મેચ, છતાં પણ મળશે પાંચ-પાંચ કરોડ રૂપિયા, જાણો...
BCCI 125 Crore Reward Split: ટી20 વર્લ્ડકપ માટે ભારતથી 42 લોકોની ટીમ ગઈ હતી, જેમાં ખેલાડીઓ અને કૉચ ઉપરાંત BCCI સ્ટાફ વગેરે પણ હાજર હતા. ટી20 ક્રિકેટ વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ટીમ પર પૈસા અને ઈનામોનો ભારે વરસાદ થયો છે. આવો જાણીએ કોને લાગી લૉટરી...
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBCCI દ્વારા જાહેર કરાયેલી 125 કરોડ રૂપિયાની ઈનામી રકમમાંથી 15 ખેલાડીઓને 5 કરોડ રૂપિયા મળશે.
રસપ્રદ વાત એ છે કે, 5 કરોડ રૂપિયા મેળવનારા 15 ખેલાડીઓમાં ત્રણ એવા ચહેરા છે જેમણે એક પણ મેચ રમી નથી.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ રાહુલ દ્રવિડને પણ ઈનામની કુલ રકમમાંથી 5 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે.
અંગ્રેજી અખબાર 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, બાકીના કોર કૉચિંગ ગ્રુપને દરેકને 2.5 કરોડ રૂપિયા મળશે.
ભારતીય ટીમની વરિષ્ઠ પસંદગી સમિતિના પાંચ સભ્યો (જેમાં અજિત અગરકરનો સમાવેશ થાય છે) દરેકને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.
ટીમના ચાર રિઝર્વ ખેલાડીઓ (રિંકુ સિંહ, શુભમન ગીલ, આવેશ ખાન અને ખલીલ અહેમદ)ને પણ 1-1 કરોડ રૂપિયા મળશે.
યશસ્વી જાયસ્વાલ, સંજૂ સેમસન અને યુઝવેન્દ્ર ચહલ ટીમમાં હતા પરંતુ તેઓ એક પણ મેચ રમ્યા ના હતા. તેમને દરેકને 5 કરોડ રૂપિયા પણ મળશે.