યુઝવેન્દ્ર ચહલની ફિયાન્સે કોઈ હીરોઈનને ટક્કર મારે એવી છે બ્યુટીફુલ, જાણો શું કરે છે? જુઓ તસવીરો
ચહલ કોરોના મહામારીના કારણે બ્રેકનો આનંદ લઈ રહ્યો છે. જોકે તેણે આઈપીએલ 2020 માટે ટ્રેનિંગ ફરીથી શરૂ કરી છે. ચહલે ટીમ ઈન્ડિયા તરફથી 52 વન ડેમાં 91, 42 ટી-20માં 55 વિકેટ ઝડપી છે. જ્યારે આઈપીએલની 84 મેચમાં 100 વિકેટ લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચહલે સગાઈની જાહેરાત કરતી પોસ્ટ શેર કર્યા બાદ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલે સૌથી પહેલા અભિનંદન આપ્યા હતા. જે બાદ હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, ડેનિયલ વાટ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયરે પણ અભિનંદન આપ્યા હતા. ભારતમાં ટોપ યૂટ્યૂબર્સમાં સામેલ કૈરીમિનાતીએ પણ યુઝવેન્દ્ર અને ધનશ્રીને શુભકામના પાઠવી હતી.
ચહલની સાથે ધનશ્રી છેલ્લા કેટલાય સમયથી રિલેશનશીપમાં હતી. ધનશ્રીની સુંદરતા કોઇ હીરોઇનથી કમ નથી. સગાઈ પહેલા ચહલ તેની સાથી ધનાશ્રી વર્મા સાથે ઘણા ઝૂમ સેશનમાં એક્ટિવ જોવા મળ્યો હતો.
ધનશ્રી વર્માની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બાયોથી ખબર પડે છે કે તે કોરિયોગ્રાફર હોવાની સાથે એક ડોક્ટર અને યૂટ્યૂબર પણ છે. ધનાશ્રી યૂટ્યૂબ પર પોતાના નામની ચેનલ ધરાવે છે. 1.5 મિલિયન એટલે કે 15 લાખ લોકોએ તેની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ખેલાડી યુજવેન્દ્ર ચહલે લૉકડાઉનની વચ્ચે પોતાના ફેન્સને એક સારા સમાચાર આપ્યા છે. ચહલે એક તસવીર પૉસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે, ચહલે સગાઇ કરી લીધી છે, અને યુવતીનુ નામ છે ધનશ્રી વર્મા છે.
ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે.
ચહલે શનિવારે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા.
સોશ્યલ મીડિયા પર હંમેશા રોહિત શર્મા, યુવરાજ સહિતના પોતાના સાથીઓને મજાક કરનારા યુજવેન્દ્ર ચહલે આ વખતે એક સીરિયસ પગલુ ભરી લીધી છે. તેને ટ્વીટર પર પોતાની મંગેતર સાથેની તસવીર શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -