સાયબર ફ્રોડના કિસ્સામાં અહીં ફરિયાદ કરો! તમને તરત જ મળી જશે પૂરા પૈસા, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરો: જો તમારા બેંક ખાતામાંથી કોઈ કપટથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય અથવા કોઈ અનધિકૃત વ્યવહાર થયો હોય, તો તરત જ 1930 નંબર પર કૉલ કરો. આ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન છે, જે 24x7 સેવા આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બેંક અથવા ઈ-વોલેટનો સંપર્ક કરો: જે બેંક અથવા ઈ-વોલેટ દ્વારા ટ્રાન્ઝેક્શન થયું છે તેનો તાત્કાલિક સંપર્ક કરો. ટ્રાન્ઝેક્શન બ્લોક કરવા અને છેતરપિંડીની જાણ કરવા માટે આ પહેલું પગલું છે.

ઓનલાઈન ફરિયાદ નોંધો: નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (www.cybercrime.gov.in) પર જઈને ફરિયાદ નોંધો. અહીં તમારે છેતરપિંડી વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે, જેમ કે ઘટનાનો સમય, ટ્રાન્ઝેક્શન આઈડી અને અન્ય સંબંધિત દસ્તાવેજો. તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર નોંધાવો.
સમયસર ફરિયાદનું મહત્વ: જો તમે સમયસર ફરિયાદ નોંધાવો છો, તો બેંક અને સંબંધિત સંસ્થાઓ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી શકે છે અને ફંડને બ્લોક કરી શકે છે.
RBIની માર્ગદર્શિકા: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની માર્ગદર્શિકા અનુસાર, જો ગ્રાહકની કોઈ ભૂલ ન હોય અને 24 કલાકની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવે તો પૈસા પાછા મળવાની શક્યતા વધી જાય છે.
સાયબર ફ્રોડથી બચવા શું કરવું? - અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. તમારો OTP, PIN કે પાસવર્ડ કોઈને ન જણાવો. શંકાસ્પદ કોલ્સ અને ઈમેલથી સાવધ રહો.
જાગૃતિ એ સાયબર છેતરપિંડીને રોકવાનું સૌથી મોટું હથિયાર છે. યોગ્ય સમયે ફરિયાદ નોંધાવીને તમે માત્ર તમારા પૈસા જ પાછા નથી મેળવતા, પરંતુ અન્ય લોકોને પણ સજાગ કરો છો.