Aadhaar Card : મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું કરવું, જાણો કઈ રીતે કરશો લોક ?
આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI એ આધાર બનાવવા માટે ઘણા નિયમો બનાવ્યા છે, પરંતુ મૃત્યુ પછી આધાર કાર્ડનું શું કરવું તે અંગે કોઈ નિયમો નથી.
પ્રતિકાત્મક તસવીર
1/6
આધાર ખૂબ જ મહત્વો દસ્તાવેજ છે. કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. તેથી આધારની સુરક્ષા વિશે વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું કરવામાં આવે છે ?
2/6
આધાર કાર્ડ સરન્ડર કરવાની કે રદ કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ તેની સુરક્ષા માટે આધાર કાર્ડને લોક કરી શકાય છે. લૉક કર્યા પછી અન્ય કોઈ વ્યક્તિ તમારા આધાર ડેટાને ઍક્સેસ કરી શકશે નહીં.
3/6
તેનો ઉપયોગ કરવા માટે પહેલા આધાર કાર્ડને અનલોક કરવું પડશે. આ સિવાય બીજી રીત એ છે કે પરિવારના સભ્યોએ મૃતકનું આધાર કાર્ડ એટલું સુરક્ષિત રાખવું જોઈએ કે કાર્ડ અન્ય કોઈના હાથમાં ન પહોંચે અને તેનો દુરુપયોગ ન થઈ શકે.
4/6
આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. આ પછી My Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરો. માય આધારમાં આધાર સેવાઓ પર જાઓ, ત્યાં તમને 'લોક/અનલોક બાયોમેટ્રિક્સ'નો વિકલ્પ દેખાશે.
5/6
આ પછી એક નવું પેજ ખુલશે. તેમાં લોગિન કરવા માટે તમારે 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ Send OTP પર ક્લિક કરો. આ OTP દાખલ કર્યા પછી, તમે બાયોમેટ્રિક ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ જોશો. તમે ઇચ્છો તે લોક અથવા અનલોક વિકલ્પ પસંદ કરી શકો છો.
6/6
આધાર કાર્ડની જેમ કોઈના મૃત્યુ પછી તેનો પાસપોર્ટ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. સમય મર્યાદાની સમાપ્તિ પછી તેની માન્યતા આપમેળે સમાપ્ત થાય છે. કોઈના મૃત્યુ પછી તમે તેનું વોટર આઈડી કાર્ડ રદ કરાવી શકો છો. આ માટે તમારે ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે, ત્યારબાદ આ કાર્ડ રદ થઈ જશે. મતદાર ID રદ કરવા માટે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડી શકે છે.
Published at : 12 Aug 2025 02:16 PM (IST)