દિલ્હીની આ હોટલમાં યોજાશે વિરાટ-અનુષ્કાનું રિસેપ્શન, પૂરજોશમાં થઈ રહી છે તૈયારી
દિલ્હીમાં યોજાનારા વેન્યૂની વાત કરવામાં આવે તો ડિપ્લોમેટિક એન્કલેવમાં કુલ 11 વેન્યૂ છે. જેમાંથી વિરાટ-અનુષ્કાના રિસેપ્શનનું આયોજન દરબાર હોલમાં કરવામાં આવ્યું છે. તાજમાં ન માત્ર અલગ-અલગ વેન્યૂ છે પરંતુ વિવિધ ડાયનિંગ સેકશન્સ પણ છે. દરેક સેકશન્સમાં જમવાનું પણ એકબીજાથી અલગ હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિસેપ્શન પાર્ટીના વેન્યૂની સજાવટને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે.
રિસેપ્શન પાર્ટીના વેન્યૂની સજાવટને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં યોજાનારા રિસેપ્શન પાર્ટી માટે ઇન્વિટેશન કાર્ડની તસવીર પણ ઘણી વાયરલ થઈ હતી.
રિસ્પેશન જે હોલમાં યોજાવાનું છે ત્યાં તૈયારીઓને ફાઇનલ ટચ આપવામાં આવ્યો છે. ન્યૂલી વેડ કપલના પરિવારજનો ઉપરાંત રાજનેતાઓ, ક્રિકેટ-બોલિવૂડ સેલિબ્રિટી સહિત અનેક લોકો રિસેપ્શન પાર્ટીમાં હાજર રહેશે.
ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી અને જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા ઈટાલીમાં 11 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા. હનિમૂન બાદ વિરાટ તથા અનુષ્કા ભારત પરત ફર્યાં હતાં. વિરાટ પોતાના દિલ્હી સ્થિત ઘરે અનુષ્કાને લઈને ગયો હતો. ઘરમાં અનુષ્કા પોતાની નણંદ ભાવના કોહલી ઢિંગરા તથા પરિવારના અન્ય સભ્યો સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. બુધવારે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રિસેપ્શનનું આમંત્રણ આપ્યું હતું. 21 ડિસેમ્બરના રોજ દિલ્હીની તાજ ડિપ્લોમેટિક એન્કલેવના દરબાર હોલમાં રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી છે.
દિલ્હીમાં યોજાનારા રિસેપ્શન પાર્ટી માટે ઇન્વિટેશન કાર્ડની તસવીર પણ ઘણી વાયરલ થઈ હતી.
વેડિંગ રિસેપ્શનનું કાર્ડ આપવા વિરાટ અને અનુષ્કા બુધવારે સાંજ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યાં હતા. પીએમઓના ટ્વિટર હેન્ડલ પર વિરાટ-અનુષ્કાનો પીએમને કાર્ડ આપતો ફોટો સામે આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -