ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાનો આજે છેલ્લો દિવસ, 52 ગજની ધ્વજા લહેરાઈ, જુઓ કેવો છે માહોલ

કાગવડમાં ખોડલધામમાં આજે સાડા 3 લાખ લોકો એક સાથે રાષ્ટ્રગાન ગાઈ વિશ્વ વિક્રમ બનાવશે. 5 દિવસીય કાર્યક્રમો દરમિયાન કુલ 4 વિશ્વ વિક્રમ ખોડલધામના નામે નોંધાવશે.
આ ઉપરાંત 55 સંગીતકારો પણ સામેલ છે. મહિલા સમિતિ દ્વારા ગણેશ સ્તુતી અને માતાજીનો ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, ધ્વજારહોણ, કળશ અનાવરણ બાદ માતાજીના ગરબા, સ્તુતી અને ધાર્મિક ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 16 પુરૂષ ગાયક અને 16 મહિલા ગાયક મળી 32 ગાયકો દ્વારા માતાજીની આરાધના કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું છે.
52 ગજની ધ્વજા ખોડલના મંદિરના શિખર પર લહેરાઇ હતી. ધ્વજારોહણ થતા જ મંદિર પરિસરમાં હાજર લાખો લોકોએ પોતાના મોબાઇલમાં ટોર્ચ લાઇટ ચાલુ કરી હતી.
ખોડિયાર માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બાદ ધ્વજારોહણ અને કળશ અનાવરણ વિધિ યોજાઇ હતી. જેમાં સ્વયંસેવકોને શિખર પર ચડવાની જરૂર પડી નહોતી. ધ્વજારોહણ વિધિ નીચેથી ખાસ ટેકનિકથી કરવામાં આવી હતી.
રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા પર્વનો આજે છેલ્લો દિવસ છે. લેઉવા પટેલ સમાજ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યો હતો તે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે વહેલી સવારે 5.30થી 6.30 વાગ્યા સુધીમાં મંદિરમાં મા ખોડલની મૂર્તિ સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી.