કોલગર્લ પ્રેમિકાએ લોહાણા યુવકને કહ્યું, 'મને તું એકલો ન ચાલે, મારે તો સાંજ પડે તારા જેવા 20 જોઇએ'
જયદીપે જણાવ્યું હતું કે, હું તેને એટલો પ્રેમ કરતો હતો કે તેના માટે સર્વસ્વ આપી દેવા તૈયાર હતો. તેણે લગ્નની ના પાડીને મારું દિલ તોડી નાંખ્યું હતું. આજે હું તેને છેલ્લીવાર મળીને જુનાગઢ જઇ ગિરનાર પરથી પડતું મુકીને મારો જીવ દઇ દેવાનો નિર્ણય કરીને નીકળ્યો હતો. પરંતુ વાતચીત દરમિયાન સોનીએ ન બોલાવનું બોલી તારા જેવા મારે સાંજ પડ્યે ૨૦ જોઇએ. એવું કહેતાં મને ખુબ ગુસ્સો ચડ્યો હતો અને સાથે જ રાખેલી છરી કાઢી સોની પર તૂટી પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ ભાવનગર રોડ પર આવેલા રેડલાઇટ એરિયામાં આજે લોહાણા યુવકે કોલગર્લની હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઈ હતી. કોલગર્લ મોહીદાખાતુન ઉર્ફ સોની અફસરઅલી પઠાણ (ઉ.૨૮)ની હત્યા કરનાર જામનગરના લોહાણા યુવાન જયદિપ તુલસીદાસ સેતા (ઉ.૩૦)એ કોલગર્લની હત્યા કેમ કરી તે અંગે ઘટસ્ફોટ કર્યો છે. સ્થાનિક અખબાર સાથે વાત કરતાં જયદીપે જણાવ્યું હતું કે, હું સોનીને દર મહિને ૧૫ હજાર રૂપિયા આપતો હતો, પણ તેને પૈસા ઓછા પડતા હતા. આજે તેણે મને કહ્યું કે, 'મારે સાંજ પડ્યે તારા જેવા ૨૦ જોઇએ...પ્રેમ નહીં ,પૈસા જોઇએ...' એવું બોલતાં પિત્તો ગયો ને પતાવી દીધી. હું સોનીને અનહદ પ્રેમ કરતો હતો. મહિને જે કમાતો તેમાંથી ૧૫-૧૭ હજાર તેને આપી દેતો હતો. હું તેને તેનો ધંધો છોડી દેવા કહી મારી સાથે લગ્ન કરી લેવાનું કહેતો હતો. પરંતુ તે હવે એમ કહેતી હતી કે તું જે પૈસા આપે છે તેનાથી કંઇ ન વળે, મારે મહિને લાખ એકનો ખર્ચો છે...તેના આવા વલણથી હું કંટાળી ગયો હોવાથી હું પોતે જ આજે જુનાગઢ જઇ ગિરનાર પરથી કૂદકો મારીને મરી જવાનો હતો. આગળ વાંચોઃ જયદીપે પોતાના પ્રેમપ્રકરણ વિશે બીજા શું કર્યા ખુલાસા
તેણે ઉમેર્યું હતું કે, હત્યા પછી હું ભાગવા માટે બહાર નીકળી અગાસીએ ચડી ગયો હતો. ત્યાંથી રસ્તો ન મળતાં પાછો રૂમમાં આવ્યો હતો અને કાચના દરવાજાનો કાચ તોડીને નવેળા તરફના રસ્તેથી ભાગ્યો હતો. ત્યાં સામે સોની જ્યાં રહે છે તે ડેલાનો માલિક શૈલેષ પટેલ સામે આવી જતાં તેની સાથે ઝપાઝપી કરીને ભાગી ગયો હતો. દોડીને નજીકમાં રામનાથપરા પુલ નજીક પહોંચ્યો ત્યાં પોલીસ પાછળ આવી ગઇ હતી અને રિક્ષા મારફત મને હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. મોહીદાખાતુન ઉર્ફ સોનીને મેં ખુબ પ્રેમ કર્યો, પણ તેણે મારી સાથે બેવફાઇ કરતાં મેં તેને મારી નાંખી...હવે જે સજા મળે તે ભોગવી લઇશ. મને કોઇ અફસોસ નથી.
હવે તે પ્રેમને બદલે પૈસાને મહત્વ આપતી હોઇ અને લગ્ન કરવાની ના પાડતી હોઇ તેમ જ આજે પોતે મળવા આવતાં તેણીએ 'તારા જેવા સાંજ પડ્યે મારે ૨૦ જોઇએ...' તેવા વેણ બોલતાં મારો પિત્તો ગયો હતો અને મેં તેને પતાવી દીધી હતી.
જયદીપે કહ્યું હતું કે હું નાનો હતો ત્યારે જ મારા માતા-પિતાનું અવસાન થયું હતું. મોટા ભાઇ છે પણ મારે તેની સાથે કોઇ વ્યવહાર નથી. નાનપણમાં મારી સાથે પણ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય થયું હતું. મને હવે સોનીએ જ પ્રેમ આપ્યો હતો. પરંતુ હવે તે પૈસાને ચાહવા માંડી હોઇ વાત વણસી ગઇ હતી.
ભાવનગર રોડ પર લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી અને દેહવ્યાપાર કરતી મૂળ યુ.પી.ના ફરિદાબાદની મોહીદાખાતુન ઉર્ફ સોની અફસરઅલી પઠાણ (ઉ.૨૮)ને તેના જ પ્રેમી જામનગરના લોહાણા યુવાન જયદિપ તુલસીદાસ સેતા (ઉ.૩૦)એ ગળા અન પડખામાં છરીના ત્રણ ઘા ઝીંકી રહેંસી નાંખી હતી. બાદમાં કાચનો દરવાજો તોડીને ભાગવા જતાં કાચ ડાબા હાથમાં ખુંચી જતાં તે પણ લોહીલુહાણ થઇ જતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે. જયદિપે આપેલી કેફિયત મુજબ તે મોહીદાખાતુનને દોઢ-બે વર્ષથી અનહદ પ્રેમ કરતો હતો. કમાઇને પૈસા પણ આપતો હતો. તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો.
હું સોનીને અનહદ પ્રેમ કરતો હતો. મહિને જે કમાતો તેમાંથી ૧૫-૧૭ હજાર તેને આપી દેતો હતો. હું તેને તેનો ધંધો છોડી દેવા કહી મારી સાથે લગ્ન કરી લેવાનું કહેતો હતો. પરંતુ તે હવે એમ કહેતી હતી કે તું જે પૈસા આપે છે તેનાથી કંઇ ન વળે, મારે મહિને લાખ એકનો ખર્ચો છે...તેના આવા વલણથી હું કંટાળી ગયો હોવાથી હું પોતે જ આજે જુનાગઢ જઇ ગિરનાર પરથી કૂદકો મારીને મરી જવાનો નિર્ણય કરી ઇકો કારમાં બેસી જામનગરથી રાજકોટ આવ્યો હતો અને તેને છેલ્લીવાર જોવા-મળવા તેના રૂમ સુધી ગયો હતો. પરંતુ આજે પણ તેણે મારી વાત સાંભળવાની ના પાડી પ્રેમ કરતાં પૈસાને વધુ મહત્વ આપી તારા જેવા સાંજ પડ્યે ૨૦ જોઇએ...એવા શબ્દો બોલતાં મેં છરી કાઢીને ઘા ઝીંકી દીધા હતાં. તેના વેણ આકરા લાગતાં વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી.
જયદીપ જામનગરના ભાનુશાળીવાસમાં રહે છે અને ફરસાણની દૂકાનમાં કામ કરે છે અને મહિને ૧૫ થી ૨૦ હજારનું કામ કરે છે. સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં તેણએ જણાવ્યું હતું કે, 'હું બે ભાઇમાં નાનો છું. મોટા ભાઇ સુમિતભાઇ અલગ રહે છે, તેની સાથે મારે વ્યવહાર નથી. દોઢ-બે વર્ષ પહેલા હું કામ સબબ રાજકોટ આવ્યો હતો, ત્યારે એક મિત્ર મારફત મોહીદાખાતુન ઉર્ફ સોની સાથે પરિચય થતાં તેની પાસેથી મોબાઇલ નંબર લીધા હતાં. પ્રારંભે મેસેજ અને વાતચીત શરૂ થયા બાદ અમારી વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. એ પણ મને ખૂબ પ્રેમ કરતી હતી. હું કમાતો તેમાંથી પંદરેક હજાર દર મહિને તેને આપી દેતો હતો. મેં તેને એમ પણ કહેલ કે તું ખૂબ સારી છોકરી છો. આ દુનિયા મૂકીને મારી સાથે લગ્ન કરી લે. આ બાબતે તે એક તબક્કે તૈયાર પણ થઇ ગઇ હતી. પરંતુ હવે તેને પ્રેમ નહીં, પૈસા વધુ ગમવા માંડ્યા હતાં. તે મને કહેતી કે હું જે પૈસા આપુ છું તે પૂરા પડતા નથી. મારે મારી મોટી બહેનની દીકરીને ભણાવવાના ખર્ચા પણ છે. આમ કહી તે હવે લગ્નની ના પાડતી હતી.
જયદીપે કહ્યું હતું કે હું સોનીને ખુબ જ ચાહતો હતો. તેની સાથે લગ્ન કરવાનો હતો. મેં તેના પ્રેમની સાબિતી રૂપે હું પાવાગઢ ગયો ત્યારે મારી છાતી પર તેનું નામ 'સોની' ત્રોફાવ્યું હતું. એક સમયે તે પણ મને ખુબ પ્રેમ કરતી હતી. અમારી વચ્ચે તમામ પ્રકારના સંબંધ હતાં. ગયા સોમવારે પણ હું તેને મળવા આવ્યો હતો અને આખી રાત તેની સાથે રોકાયો હતો. એ પહેલા તેની સાથે ઝઘડો થતાં હું કામધંધો છોડીને જુનાગઢ જતો રહ્યો હતો અને એક ધાર્મિક સ્થળે બે-ત્રણ દિવસ રોકાઇને પાછો આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -