✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ દરબાર યુવાનને પાડોશની પરીણિત યુવતી સાથે થયો પ્રેમ, પિયરિયાંને ન ગમતાં શું થયું? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2017 10:18 AM (IST)
રાજકોટઃ દરબાર યુવાનને પાડોશની પરીણિત યુવતી સાથે થયો પ્રેમ, પિયરિયાંને ન ગમતાં શું થયું? જાણો
1

અશોક ગાર્ડન પાસે યુવાનની હત્યા થયાની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે હિરાબા હરિસિંહ પરમાર (ઉ.55)ની ફરિયાદ પરથી તેના પડોશી દેવીપૂજક ચુનિલાલ પરમાર, હંસા ચુનિલાલ અને તેના બે પુત્રો સંદિપ તથા રાજદિપ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

2

શનિવારે રાત્રે પણ તે ગાળો બોલતો હોઇ ઘરથી દૂર જવાનું કહેતાં તે મારા પર કુહાડીથી તૂટી પડ્યો હતો અને હાથ-પગમાં ઇજા કરી હતી. બાદમાં મારા પતિ-પુત્રોને જાણ થતાં તેણે અશોક ગાર્ડન પાસે વનરાજસિંહને પકડી હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. હંસાબેનને હોસ્પિટલમાંથી રજા અપાય પછી ધરપકડ થશે.

3

જો કે સામે દેવીપૂજક હંસાબેન ચુનિલાલ પરમાર (ઉ.50)એ પણ પોતાના પર રાત્રે વનરાજસિંહે કુહાડીથી હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ કરી છે. હંસાબેન સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. હંસાબેને કહ્યું હતું કે વનરાજસિંહ દરરોજ દારૂ પી મારા ઘર પાસે ખેલ કરતો હતો અને ગાળાગાળી કરતો હતો.

4

ફરિયાદમાં જણાવાયું છે કે, શિલ્પાના વનરાજ સાથેના સંબંધના કારણે ઉશ્કેરાયેલા ચુનિલાલ પરમાર, તેની પત્નિ હંસા અને બે પુત્રો ધારીયા-કુહાડી સાથે રાત્રે અમારા ઘરમાં ઘૂસી આવ્યા હતાં. વનરાજ તેમને જોઈ જીવ બચાવી અશોક ગાર્ડન તરફ ભાગી ગયો હતો. આ બધેએ પાછળ જઇ ત્યાં તેને પકડી લઇ પતાવી દીધો હતો.

5

હિરાબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા દિકરા વનરાજસિંહને પડોશી ચુનિલાલની દિકરી શિલ્પા સાથે પ્રેમસંબંધ હતો. શિલ્પા પરિણીત છે અને બે સંતાનની માતા છે. શિલ્પાને તેના પતિ સાથે મનદુઃખ થતાં માવતરે રહે છે. વનરાજ પાડોશમાં રહેતો હોવાથી બંનેની આંખ મળી ગઈ અને બંને વચ્ચે સંબંધો બંધાયા હતા.

6

રાજકોટઃ રાજકોટ શહેરના મવડી પ્લોટ પાસે અમરનગરમાં રહેતા વનરાજસિંહ હરિસિંહ પરમાર (ઉ.30) નામના દરબાર યુવાનની શનિવારે મોડી રાત્રે હત્યા કરી દેવાઈ હતી. યુવકની માતાએ ફરિયાદ કરી છે કે વનરાજસિંહને પાડોશમાં રહેતી યુવતી શિલ્પા સાથે પ્રેમસંબંધ હોવાથી તેના પરિવારજનોએ હત્યા કરી નાંખી છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ દરબાર યુવાનને પાડોશની પરીણિત યુવતી સાથે થયો પ્રેમ, પિયરિયાંને ન ગમતાં શું થયું? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.