પાટીદારો ભાજપથી કેમ છે નારાજ? પાસ કન્વીનરે રજૂ કર્યા 12 કારણો, જાણો શું છે આ કારણો?
રાજકોટ: છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન પછી પાટીદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ભાજપ માટે પાટીદાર આંદોલનથી મુશ્કેલી વધી શકે છે. ત્યારે હવે પાસ કન્વીનર બ્રિજેશ પટેલે પાટીદારો ભાજપથી નારાજ કેમ છે, તેના 12 જેટલા કારણો જણાવ્યા હતા.
11. સરકાર દ્રારા પાસના કન્વીનરો ને કરોડો રૂપિયા આપી ખરીદવાનાં પ્રયત્ન, 12. આંદોલનનો વિરોધ મતલબ સમાજ નો વિરોધ. જે લોકો ભાજપ સાથે છે તે લોકો સમાજની સામે છે. એવી ધારણા સમાજમા બંધાણી.
5. પાટીદાર નેતાઓએ આંદોલનને સહકાર ન આપ્યો અને આંદોલન વિશે બેફામ વાણી વિલાસ કર્યો. માટે સમાજનાં રોષનો ભોગ બન્યાં, 6. સમાજનાં નેતાઓ, ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, અને સમાજના ઉધોગપતિઓ દ્રારા પોતાના અંગત સ્વાર્થ માટે સમાધાનનાં નિરર્થક પ્રયત્નો, 7. હાર્દિક આંદોલનનો મુખ્ય ચહેરો છે. તેની સાથે સમગ્ર સમાજ જોડાયેલો છે. સમાજનાં નેતાઓ દ્વારા હાર્દિક પરના ખોટા આક્ષેપો તેમજ આંદોલન કચડી નાખવાના નિરર્થક પ્રયત્નો.મતલબ સમાજ સાથે વિરોધ.
1. અનામત આંદોલનની રેલી દરમ્યાન જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલા બેફામ લાઠીચાર્જ, 2. આંદોલન વખતે થયેલા તોફાનોમાં પોલીસ ફાયરિંગ અને પોલીસ દમન, 3. અનામતની માંગણી વ્યાજબી હોવા છતાં સરકાર દ્વારા હકારાત્મક પ્રતિભાવ ન મળ્યો, 4. યુવાનો પર ખોટા કેસ કર્યા.તેમજ રાષ્ટ્રદ્રોહનાં ખોટા કેસ કરી યુવાનોને જેલ ભેગા કર્યા.
8. પાટીદાર નેતાઓ દ્વારા હાર્દિકની લોકપ્રિયતા સહન ન થતા તેનાં પર જાતજાતના આક્ષેપો, 9. હાર્દિક સાથે 90% સમાજ જોડાયેલ છે. હાર્દિકનો વિરોધ મતલબ સમાજનો વિરોધ. હાર્દિકની શકિતને ઓળખી ન શક્યા, 10. સરકાર દ્વારા અનામતનું નિરાકરણ લાવવાની જગ્યાએ આંદોલન તોડવાના નિષ્ફળ પ્રયાસો.