મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતના કેપ્ટન વિરાટ કહોલીએ આક્રમક બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી. તે દરમિયાન કોહલીએ વિલિયમ્સના બોલ પર સિક્સ ફટકાર્યા બાદ ચિઠ્ઠી ફાડવાના અંદાજમાં ‘નોટબુક સેલિબ્રેશન’ કરતો જવા મળ્યો હતો. જેને જોઈને ક્રિકેટ ચાહકો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. કોહલીઆ મેચમાં અણનમ 94 રન ફટકાર્યા હતા.


કોહલીના જશ્ન કરવાના અંદાજ પર મહાનાયક અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોતાની ફિલ્મ અમર અકબર એન્થોનીની જાણીતો ડાયલોગ લખ્યો છે.


અમિતાભના આ ટ્વિટ પર વિરાટ કોહલીએ પણ જવાબ આપતા લખ્યું કે, હાહાહા... ખૂબજ સરસ ડાયલોગ સર... આપ હંમેશાથી પ્રેરણાદાયક છો.



વિરાટના દરેક સેલિબ્રેશનની પાછળ કોઇને કોઇ કારણ હોય છે. અહીં પણ એક ખાસ કારણ હતું. જો કે કોહલીએ કેસરિક વિલિયમ્સના એ ઉજવણીનો જવાબ આપ્યો હતો જ્યારે 2017મા ભારતીય કેપ્ટનને કેરેબિયન બોલરે 39 રનના સ્કોર પર આઉટ કર્યા બાદ ઉજવણી કરી હતી. મેચ બાદ જ્યારે કોહલીને એ જશ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ સીપીએલ સાથે જોડાયેલ નથી. અસલમાં આ જમૈકા હતું. કેસરિકે મને આઉટ કર્યા બાદ કંઇક આવી જ ઉજવણી કરી હતી.