એશિયા કપઃ ભારતે પાકિસ્તાનના આ 5 ખેલાડીઓથી રહેવું પડશે સાવધ, જાણો વિગતે
શોએબ મલિકઃ શોએબ મલિક હંમેશા ભારત સામે સારું પ્રદર્શન કરતો આવ્યો છે. શોએબે વનડેમાં કુલ 9 સદી ફટકારી છે. જેમાંથી 4 સદી ભારત સામે છે. ગ્રુપ મેચમાં પણ તેણે 43 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત બોલિંગ દ્વારા પણ તે સારું પ્રદર્શન કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈમામ ઉલ હકઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈંઝમામ ઉલ હકનો ભત્રીજો અત્યાર સુધીમાં 12 વન ડે રમ્યો છે. જેમાં 4 સદી અને 2 અડધી સદી ફટકારી છે. ગ્રુપ મેચમાં ભારત સામે તે 2 રન જ બનાવી શક્યો હતો. પરંતુ અફઘાનિસ્તાન સામે 80 રનની ઈનિંગ રમી હતી. આ વખતે પણ તેને આઉટ કરવા વિશેષ યોજના બનાવવી પડશે.
ફખર જમાનઃ એશિયા કપમાં હજુ સુધી તેના બેટિંગનો જલવો જોવા મળ્યો નથી. તે ભારત અને અફઘાનિસ્તાન સામે ખાતું પણ ખોલી શક્યો નહોતો પરંતુ તેને નજર અંદાજ કરવો ભારે પ઼ડી શકે તેમ છે. તે આક્રમક બેટિંગ કરવા જાણીતો છે.
બાબર આઝમઃ પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપ નજર કરવામાં આવે તો બાબર આઝમ સતત સારું પરફોર્મ્નસ કરી રહ્યો છે. છેલ્લી 4 ઈનિંગમાં એક સદી અને એક અડધી સદી ફટકારી ચુક્યો છે. આ દરમિયાન તે બે વખત નોટ આઉટ રહ્યો છે. ભારત સામે તેણે 47 અને અફઘાનિસ્તાન સામે 66 રન બનાવ્યા હતા. તેને આઉટ કરવા ભારતે વિશેષ રણનીતિ બનાવવી પડશે.
મોહમ્મદ આમિરઃ આમિર છેલ્લી 5 મેચમાં માત્ર 1 વિકેટ જ ઝડપી શક્યો છે. જે ભારત માટે પોઝિટિવ વાત છે. પરંતુ જો એકવાર લય પકડી લે તો ભારતના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી શકે છે. 2017ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે 6 ઓવરમાં 16 રન આપી રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલીને પેવેલિયન મોકલ્યા હતા.
દુબઈઃ એશિયા કપ 2018ના સુપર-4માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયાનો આજે ફરી એકવખત પાકિસ્તાન સામે મુકાબલો થશે. ગ્રુપ મેચમાં પાકિસ્તાન સામે 8 વિકેટથી મળેલી જીતની લયને ભારત જાળવી રાખવા માંગશે. બીજી તરફ પાકિસ્તાન પલટવાર કરવાની કોશિશ કરશે. આજની મેચમાં ભારતે પાકિસ્તાનના આ 5 ખેલાડીઓથી સતર્ક રહેવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -