2 ટેસ્ટમાં 4 ને 4 વન-ડેમાં માત્ર 1 વિકેટ લેનારો બોલર બન્યો ભારતનો બોલિંગ કોચ, જાણો કોણ છે ભારત અરૂણ ?
અરુણ તે અગાઉ 2014માં ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યો છે અને તે સમયે રવિ શાસ્ત્રી ડાયરેક્ટર હતા. ભારત અરુણ ટીમ ઇન્ડિયા સાથે બોલિંગ કોચ તરીકે જોડાયા હતા ત્યારે તેમના કામની પ્રશંસા કરવામાં આવી હતી. તે સમયે ભારતીય બોલરો પણ સારુ પ્રદર્શન કરી રહ્યા હતા
એક બોલર તરીકે ઝહીર ખાન પાસે ભારત અરુણ કરતા વધુ અનુભવ છે. ઝહીર ખાને 200 વન-ડે મેચ રમી છે અને 282 વિકેટો ઝડપી છે જ્યારે અરુણે ફક્ત ચાર વન-ડે મેચ રમી છે અને તેમાં ફક્ત એક જ વિકેટ ઝડપી છે.
ઝહીર ખાનનો રેકોર્ડ જોતા ઝહીર ખાન ભારત કરતા સારો કોચ સાબિત થઇ શકે તેવું ચાહકોનું માનવું છે. 1979 ઇન્ડિયન અંડર-19 ક્રિકેટ ટીમના રવિ શાસ્ત્રી કેપ્ટન હતો ત્યારે તે જ ટીમમાં ભારત અરુણ બોલર હતો.
નવી દિલ્હીઃ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ તરીકે ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનને હટાવીને ભારત અરુણને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે. ભારત અરુણની નિમણૂકને બીસીસીઆઇએ બોલિંગ કોચ તરીકે મંજૂરી આપી દીધી છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના કહેવા બાદ ભારત અરુણને કોચ બનાવવામાં આવ્યા છે.
તે સિવાય ભારત અરુણે બે ટેસ્ટ મેચમાં ચાર વિકેટ ઝડપી છે જ્યારે ઝહીર ખાને 311 વિકેટ ઝડપી છે. ટી-20માં પણ ઝહીર ખાને 17 વિકેટ ઝડપી છે. એક રિપોર્ટ પ્રમાણે, ભારત રવિ શાસ્ત્રીનો મિત્ર હોવાના કારણે તેને તક મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.