Ranji Trophy 2021-22: રણજી ટ્રોફી 2022ની ફાઈનલમાં મધ્યપ્રદેશે મુંબઈને 6 વિકેટથી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં જીત સાથે મધ્યપ્રદેશે પહેલી વખત રણજી ટ્રોફીનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ પહેલાં મધ્યપ્રદેશે ક્યારેય રણજીની ફાઈનલ મેચ જીતી નથી. ટીમ વર્ષ 1999માં ચંદ્રકાંત પંડિતની કેપ્ટનશીપમાં ફાઈનલ સુધી પહોંચી હતી. ત્યારે મધ્યપ્રદેશ કર્ણાટક સામે 96 રનથી હારી ગયું હતું. આવો જાણીએ 41 વખત ચેમ્પિયન રહેલી મુંબઈની હારના કારણો.


1- યશસ્વી જયસ્વાલની ઈજાઃ
મુંબઈની બીજી ઈનિંગમાં ઓપનર યશસ્વી જયસ્વાલ બેટિંગ કરવા આવ્યો નહોતો. આવી સ્થિતિમાં જયસ્વાલના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર સવાલો ઉઠવા લાગ્યા છે. યશસ્વી જયસ્વાલ પગની ઘૂંટીની ઈજાને કારણે ફિલ્ડિંગ અને બેટિંગ કરવા માટે મેદાન પર નહોતો આવી શક્યો.


2- ઓપનિંગ જોડીમાં બદલાવઃ
યશસ્વી જયસ્વાલની ઈજાને કારણે મુંબઈએ પોતાની ઓપનિંગ જોડીમાં ફેરફાર કરવો પડ્યો હતો. પૃથ્વી શૉએ વિકેટ કીપર બેટ્સમેન હાર્દિક તોમર સાથે ઇનિંગની શરૂઆત કરી હતી.


3- પ્રથમ દાવમાં મોટો સ્કોર ના કર્યોઃ
ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી મુંબઈ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. મુંબઈએ 10 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા હતા. જવાબમાં મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં 536 રન બનાવ્યા હતા.


4- મુંબઈ બીજી ઈનિંગમાં જલ્દી સમેટાઈ ગઈઃ
પ્રથમ દાવમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહેતા મુંબઈની બીજી ઈનિંગમાં સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. બીજા દાવમાં 41 વખતની ચેમ્પિયન ટીમ 10 વિકેટના નુકસાન પર માત્ર 269 રન જ બનાવી શકી હતી. સુવેદ પારકર સિવાય કોઈપણ બેટ્સમેન 50 પ્લસનો સ્કોર પણ બનાવી શક્યો નહોતો.


5- મધ્યપ્રદેશના બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શનઃ
સમગ્ર ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ટીમ ટુર્નામેન્ટની એક પણ મેચ હારી નથી અને ફાઈનલ સુધી તેની આ સફર ચાલુ રહી હતી. મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં બેટ્સમેનોના દમ પર 536 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ટીમે 4 વિકેટ ગુમાવીને 108 રનનો આસાન ટાર્ગેટ આપીને ઈતિહાસ રચ્યો હતો.