ટ્રેન્ડિંગ

શું 'ઓપરેશન સિંદૂર' પછી બદલાશે IPLનું શિડ્યૂલ? MI ની મેચ પર મંડરાઈ રહ્યો છે ખતરો! એક્શન મોડમાં BCCI

ઓપરેશન સિંદૂરની IPL પર પડશે અસર ? રદ્દ થશે KKR અને CSK મેચ ? આવી ગયો BCCI નો જવાબ

Operation Sindoor: પાકિસ્તાનના ધાકડ ક્રિકેટરના ઘર પણ હવાઈ હુમલો, ભારત સાથે છે ખાસ કનેક્શન

ભારતના પાંચ ક્રિકેટરો જે Indian Army માં કરે છે નોકરી, કોઇ ગૃપ કેપ્ટન તો કોઇ લેફ્ટિનેન્ટ કર્નલ છે, જુઓ

KKR vs CSK Pitch Report: બેટ્સમેનનો ચાલશે જાદૂ કે બોલર ઘૂમ મચાવશે, જાણો ઇડન ગાર્ડન્સની પિચનો મિજાજ
IPL Dharamshala Match: એરસ્ટ્રાઇક બાદ હવે IPL મેચનો ધર્મશાલામાં મુકાલબો રદ્દ થશે? જાણો અપડેટ્સ
કોરોનાઃ લાહોરમાં પોતાના રેસ્ટોરન્ટમાં બેરોજગારોને મફતમાં જમાડી રહ્યા છે ICC અમ્પાયર અલીમ દાર
અલીમ દારે ટ્વિટર પર એક વીડિયો સંદેશ પોસ્ટ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન લોકો બેરોજગાર થયા છે. મારી એક રેસ્ટોરન્ટ લાહોરના પિયા રોડ પર છે જેનું નામ દર્સ ડિલાઇટો છે. અહી બેરોજગાર લોકો મફતમાં જમી શકે છે
Continues below advertisement

લાહોરઃપાકિસ્તાની અમ્પાયર અલીમ દાર કોરોના વાયરસની મહામારી વચ્ચે બેરોજગારોને પોતાની રેસ્ટોરન્ટમાં મફતમા જમવાનું આપી રહ્યા છે. પાકિસ્તાનમાં કોરોનાના કારણે લોકડાઉન છે. જ્યાં 100થી વધુ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ વાયરસના કારણે દુનિયાભરમાં ત્રણ અબજ લોકો ઘરોમાં કેદ છે અને 21 હજારથી વધુ લોકોના મોત થયા છે.
અલીમ દારે ટ્વિટર પર એક વીડિયો સંદેશ પોસ્ટ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન લોકો બેરોજગાર થયા છે. મારી એક રેસ્ટોરન્ટ લાહોરના પિયા રોડ પર છે જેનું નામ દર્સ ડિલાઇટો છે. અહી બેરોજગાર લોકો મફતમાં જમી શકે છે. પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પોતાની ચેરિટી ફાઉન્ડેશન મારફતે રાહત કાર્યમાં લાગ્યો છે.
અલીમ દારે કહ્યું કે, કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો છે. પાકિસ્તાન પણ તેની ઝપેટમાં છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે સુરક્ષા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. પાકિસ્તાની ક્રિકેટરોએ સરકારને 50 લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો સ્ટાફ પણ દાન આપશે.
Continues below advertisement