નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડનો બેટ્સમેન જેસન રૉય મેદાન પર વાપસીની રાહ જોઈ રહ્યો છે. પરંતુ હવે તેણે ટી20 વર્લ્ડકપના આયોજનને લઈ ચોંકાવનારું નિવેદન પડ્યું છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ચાલુ વર્ષે રમાનારા વર્લ્ડકપને લઈ જેસન રોયે ઈએસપીએનક્રિકઈન્ફોને જણાવ્યું કે, મારું માનવું છે કે જો આ વાયરસનો પ્રકોપ વધારે લાંબો ચાલે તો ખેલાડીઓને તૈયારીનો પૂરતો સમય નહીં મળે. તેથી આ સંજોગોમાં ટૂર્નામેન્ટને રદ્દ કરવી જ યોગ્ય ગણાશે.


રોયે કહ્યું, બધુ તૈયારીઓ પર નિર્ભર કરે છે. પરંતુ જો આયોજન થાય તો અમારું કામ ક્રિકેટ રમવાનું છે. આ સ્થિતિમાં જો અમને કહેવામાં આવે કે તમારી પાસે તૈયારી માટે માત્ર 3 અઠવાડિયાનો જ સમય છે તો અમારે તૈયારીઓ કરવી પડશે.

તેણે આગળ જણાવ્યું, મને ઈસીબી પર ભરોસો છે. આ સ્થિતિમાં બોર્ડ તમામ કોશિશ કરશે અને મારે આ બધી ચીજો પર ભરોસો કરવો જોઈએ. મારે ઈયોન મોર્ગન સાથે પણ વાત કરવી જોઈએ, કારણકે તેના દિમાગમાં કઈંકને કઈ જરૂર હશે.

ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવા અંગે રોયે કહ્યું, આ મારો ફેંસલો નથી અને તેના પર સત્તાવાળા વાત કરી રહ્યા છે. જે પણ ફેંસલો થશે તે અમારા હકમાં જ હશે.