શ્રીલંકા સામેની ટી-20 અને વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હવે ભારતીય ટીમમાં પરિવર્તનનો સમયગાળો ચાલી રહ્યો છે અને યુવા ખેલાડીઓને તક મળી છે. પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેમની અવગણના કરવામાં આવી છે. પૃથ્વી શૉને વન-ડે કે ટી-20 સીરિઝમાં તક આપવામાં આવી નથી. જે બાદ તેણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.


મંગળવારે સાંજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ પૃથ્વી શૉએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આમાં પૃથ્વીએ એક કવિતા શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે કોઈને તે વ્યક્તિ મફતમાં મળી હતી, જે મને દરેક કિંમતે જોઈતી હતી. પૃથ્વી શૉએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પ્રોફાઈલ ફોટો પણ હટાવી દીધો છે.


આ સિવાય પૃથ્વી શૉએ બીજી એક પોસ્ટ શેર કરી, જેમાં પ્રેરણા વિશે વાત કરવામાં આવી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે જો કોઈ હસતું હોય, તો તેનો અર્થ એ નથી કે જીવનમાં બધું સારું ચાલી રહ્યું છે. સમસ્યાઓ ઓટોમોટિક છે.


ટીમની જાહેરાત પછી ચાહકોની નજર આ પોસ્ટ્સ પર પડી હતી. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ કહ્યું કે પૃથ્વી શૉ સાથે અન્યાય થઈ રહ્યો છે. પૃથ્વીએ સ્થાનિક ક્રિકેટમાં સતત રન બનાવ્યા છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે તેની અવગણના કરવામાં આવી રહી છે.


ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ દ્વારા શ્રીલંકા પ્રવાસને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકા સામેની 3 મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર થઈ છે. ટી20  શ્રેણીમાં હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યાને ટી20માં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે


શ્રીલંકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા - હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.


શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.