Rohit Sharma Press Conference:2023 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે ટોસ, પ્લેઈંગ ઈલેવન, પિચ  સહિત ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.


ફાઈનલ પહેલા રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ  10 મોટી વાતો-



  • રોહિત શર્માએ કહ્યું, "ટોસથી કોઈ ફરક પડશે નહીં. અમારે પરિસ્થિતિઓનો સારી રીતે ઉપયોગ કરવો પડશે અને સારું ક્રિકેટ રમવું પડશે."

  • "અમે આજે અને કાલે પિચ અને સ્થિતિનું મૂલ્યાંકન કરીશું. 12-13 ખેલાડીઓ તૈયાર છે, પરંતુ પ્લેઇંગ ઇલેવન હજુ નક્કી નથી અને હું ઇચ્છું છું કે તમામ 15 ખેલાડીઓ મેચ માટે ઉપલબ્ધ રહે."

  • "IND vs PAK માં  ઘાસ નહોતું, આ પીચ પર થોડું ઘાસ છે. મેં આજે પિચ જોઈ નથી, પરંતુ તે ધીમી હશે. અમે આવતીકાલે પીચ જોઈશું અને પછી સ્થિતિનું મૂલ્યાંકન કરીશું. અમારા ખેલાડીઓ તેનાથી વાકેફ છે. અહીં સ્થિતિ બદલાઈ ગઈ છે, તાપમાન ઘટી ગયું છે."

  • "ફાઇનલ મેચ માટે કોઈ અલગ સંદેશ હશે નહીં. અમે બધા અમારું કામ જાણીએ છીએ અને ખેલાડીઓને પણ ખબર છે કે તેઓએ શું કરવાનું છે. તેમાં કંઈ ખાસ નહીં હોય. અમે અમારી સામાન્ય પ્રી-મેચ ટીમ ડિશકશ કરીશું."

  • તેણે કહ્યું, "વર્લ્ડ કપ જીતવું સારું રહેશે, પરંતુ અમે વધારે ઉત્સાહિત થવા માંગતા નથી. અમે અત્યારે  બેલેન્સ રહેવા માંગીએ છીએ."

  • તેણે કહ્યું, "જો તમે કાલે ભૂલ કરો છો, તો છેલ્લી 10 મેચોમાં કરેલા સારા કામથી કોઈ ફરક પડતો નથી. વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું અથવા ભવિષ્ય વિશે વિચારવું વધુ સારું છે. અમારે ઓસ્ટ્રેલિયાની નબળાઈ શોધીને અમારી તાકાત વધારવી પડશે.  20 વર્ષ પહેલાં જે બન્યું હતું તે વિશે વિચારવાની જરૂર નથી.

  • મોહમ્મદ શમી વિશે રોહિત શર્માએ કહ્યું, "ટીમમાં ન હોવું અને પછી પાછા આવીને આ પ્રકારનું પ્રદર્શન કરવું સહેલું નથી. જ્યારે તે રમી રહ્યો ન હતો ત્યારે તેણે બેન્ચમાંથી સિરાજ અને શાર્દુલને સતત મદદ કરી છે."

  • તેણે કહ્યું, "ભાવનાત્મક રીતે આ એક મોટો અવસર છે. અલબત્ત તે અમારા માટે સૌથી મોટું સપનું છે, પરંતુ પ્રોફેશનલ ખેલાડીઓ માટે અમારે રમત રમવાની છે. 11 ખેલાડીઓએ મેદાન પર પોતાનું કામ કરવાનું હોય છે. તેનું રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

  • રોહિત શર્માએ કહ્યું, "અમારા બોલરોએ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ 4-5 મેચોમાં અમે અન્ય ટીમોને 300થી ઓછા રન સુધી જ રોકી છે. ત્રણેય ઝડપી બોલરો જાણે છે કે તેમની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે અને તેઓ તેમનું પ્રદર્શન કેવી રીતે કરવું તે જાણે છે. જ્યાં અમે મધ્ય ઓવરોમાં વિકેટ લેવા માંગતા હતા, ત્યાં સ્પિનરો આવ્યા અને વિકેટ લીધી."

  • કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, "ભારતીય ક્રિકેટર હોવાને કારણે, વ્યક્તિએ દબાણનો સામનો કરવો પડે છે અને તે સતત છે. એક ખેલાડી તરીકે, તમારે તમામ ટીકા, દબાણ તેમજ પ્રશંસકોનો સામનો કરવો પડશે."