IND vs ENG 4th Test: રુટે સદી ફટકારી ઈંગ્લેન્ડની કરાવી વાપસી,પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે
gujarati.abplive.com Last Updated: 23 Feb 2024 04:44 PM
બ્રેકગ્રાઉન્ડ
IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરી છતાં ભારત ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને...More
IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરી છતાં ભારત ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણીમાં અજેય લીડ લેવાનો પ્રયાસ કરશે. ભારત હાલમાં 2-1થી આગળ છે અને તેની નજર ઘરઆંગણે સતત 17મી શ્રેણી જીતવા પર છે.2012માં એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ સામે હાર્યા બાદ ભારતીય ટીમે ઘરઆંગણે સતત સારું પ્રદર્શન કર્યું છે. તે પછી તેણે 47 ટેસ્ટ મેચોમાંથી 38 જીતી છે. દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ તરફથી જ હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં રોહિત શર્માના નેતૃત્વમાં યુવા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.યુવા ટીમમાં તાકાત છેપછી તે યશસ્વી જયસ્વાલ હોય કે સરફરાઝ ખાન. જયસ્વાલે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પ્રથમ ત્રણ મેચમાં 545 રન બનાવ્યા છે જેમાં બે બેવડી સદી સામેલ છે. સરફરાઝે પોતાની પ્રથમ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. શુભમન ગીલે પણ ત્રીજી મેચમાં સારુ પ્રદર્શન કર્યું હતુ. સીરિઝમાં અત્યાર સુધી સૌથી વધુ 17 વિકેટ ઝડપનાર બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ધર્મશાલામાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે.મુકેશ અને આકાશદીપ વચ્ચે પસંદગી માટે સ્પર્ધાસિરાજની સાથે બંગાળના મુકેશ કુમાર અને આકાશદીપની પસંદગી થઈ શકે છે. મુકેશ કુમાર વધુ અનુભવી છે. તેણે તાજેતરમાં રણજી ટ્રોફીમાં 10 વિકેટ લીધી હતી. તે બીજી ટેસ્ટ મેચ રમ્યો હતો જેમાં તેણે બંને દાવમાં કુલ 12 ઓવરમાં એક-એક વિકેટ લીધી હતી. હવે જોવાનું એ રહે છે કે ટીમ મેનેજમેન્ટ મુકેશ પર વિશ્વાસ રાખે છે કે પછી આકાશદીપને પ્રથમ ટેસ્ટમાં રમવાની તક આપે છે.આ મેદાન પર છેલ્લી ટેસ્ટ 2019માં રમાઈ હતી. ત્યારબાદ ઝડપી બોલર મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે દક્ષિણ આફ્રિકા સામે 10-10 વિકેટ લીધી હતી. ભારતીય સ્પિનરોએ આઠ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે ટોમ હાર્ટલીની સાથે ઓફ સ્પિનર શોએબ બશીરને ટીમમાં સામેલ કર્યો છે. તે લેગ સ્પિનર રેહાન અહેમદનું સ્થાન લેશે. ત્રીજા સ્પિનરની ભૂમિકા જો રૂટ ભજવશે.રજત પાટીદાર પ્લેઈંગ-11માંથી બહાર થઈ શકે છેબીજી તરફ રજત પાટીદાર પ્લેઈંગ-11માંથી બહાર થઈ શકે છે. રજતને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી. તે પ્રથમ દાવમાં 32 રન અને બીજા દાવમાં નવ રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ તેમને રાજકોટમાં વધુ એક તક આપવામાં આવી હતી. રજત ફરી એકવાર નિષ્ફળ ગયો. તે પ્રથમ દાવમાં માત્ર પાંચ રન જ બનાવી શક્યો હતો. બીજી ઇનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ચાર ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ન ફટકારનાર રજતને બહાર બેસવું પડી શકે છે.રજતની જગ્યાએ કર્ણાટકના ડાબા હાથના બેટ્સમેન દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે. પડિક્કલે 31 ફર્સ્ટ ક્લાસ મેચમાં 44.54ની એવરેજથી 2227 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે છ સદી અને 12 અડધી સદી ફટકારી છે. દેવદત્તે તેની છેલ્લી 11 ઇનિંગ્સમાં પાંચ સદી ફટકારી છે. તેણે કર્ણાટક માટે ત્રણ અને ઈન્ડિયા-A માટે બે સદી ફટકારી છે. તેના શાનદાર ફોર્મને જોતા રોહિત શર્મા તેને રાંચી ટેસ્ટમાં રજત પાટીદારના સ્થાને તક આપી શકે છે.એવું લાગે છે કે ભારતીય ટીમ બે ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં અક્ષર પટેલની વાપસીની શક્યતા ઓછી જણાઈ રહી છે. ટીમમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનું સ્થાન નિશ્વિત છે.ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11 જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), શોએબ બશીર, ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.ભારતની સંભવિત પ્લેઈંગ 11યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, સરફરાઝ ખાન, રજત પાટીદાર/દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ/મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પહેલા દિવસની રમત સમાપ્ત
ચોથી ટેસ્ટના પહેલા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 302 રન છે. જોકે ઈંગ્લેન્ડે સારી રિકવરી કરી લીધી છે. લંચ સુધી ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. પરંતુ રૂટે સદી ફટકારીને ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લાવી દીધું. ફોક્સે પણ 47 રન બનાવીને સારું યોગદાન આપ્યું હતું. દિવસની રમતના અંત સુધી રૂટ 106 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા આકાશદીપે 3 વિકેટ ઝડપી હતી. સિરાજને બે જ્યારે અશ્વિન અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી.