IND vs ENG Semi Final Score : ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 172 રનનો લક્ષ્યાંક
T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.
gujarati.abplive.comLast Updated: 28 Jun 2024 12:08 AM

બ્રેકગ્રાઉન્ડ
India vs England, Semi Final 2: T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. સુપર-8ની મહત્વની...More
India vs England, Semi Final 2: T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. સુપર-8ની મહત્વની મેચમાં કાંગારૂઓને હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં અંગ્રેજો સામે જૂનો હિસાબ બરાબર કરવા મેદાનમાં ઉતરશે. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2024 T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. મતલબ કે આજની વિજેતા ટીમ 29મી જૂને ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે 2023ના ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની હારનો બદલો લઈ લીધો છે. હવે રોહિત બ્રિગેડ 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી હારનો બદલો લેવા માંગશે. ગત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.હેડ ટુ હેડ સ્પર્ધાT20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો અત્યાર સુધી ચાર વખત ટકરાયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે. બે મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો છે. આવી સ્થિતિમાં આજે પણ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.જો મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી જશેગયાનામાં આજે વરસાદની સંભાવના છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ રદ્દ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ શરૂ થવાના એક કલાક પહેલા વરસાદની 40 ટકા શક્યતા છે. મેચ શરૂ થવાના સમયે વરસાદની 60 ટકા શક્યતા છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો ICCના નિયમો અનુસાર, ટીમ ઈન્ડિયા સુપર-8માં ટોચ પર રહેવાને કારણે ફાઇનલમાં પ્રવેશ કરશે.ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.ઈંગ્લેન્ડના સંભવિત પ્લેઈંગ ઈલેવન- ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, રીસ ટોપલે અને આદિલ રાશીદ.
IND vs ENG : ભારતે ઇંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો
20મી ઓવરમાં 12 રન આવ્યા અને અક્ષર પટેલની વિકેટ પડી. ક્રિસ જોર્ડનની આ ત્રીજી સફળતા હતી. 20 ઓવરમાં ભારતીય ટીમે 7 વિકેટે 171 રન બનાવ્યા છે. હવે ઈંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી રોહિત શર્માએ 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા 9 બોલમાં 17 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.