IND Vs IRE, 2nd T20: ભારતે બીજી T20 મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું, શ્રેણી 2-0થી જીતી
IND Vs IRE 2nd T20 Live Updates: અહીં તમને ભારત અને આયર્લેન્ડની બીજી T20 નો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ મહત્વપૂર્ણ વિગતો મળશે.
gujarati.abplive.com Last Updated: 20 Aug 2023 11:01 PM
બ્રેકગ્રાઉન્ડ
IND Vs IRE 2nd T20 Live Updates: આજે 20 ઓગસ્ટ, રવિવારે સાંજે ભારત અને આયરલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ પ્રથમ ટી20 2 રન ડકવર્થ લૂઇસના...More
IND Vs IRE 2nd T20 Live Updates: આજે 20 ઓગસ્ટ, રવિવારે સાંજે ભારત અને આયરલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ પ્રથમ ટી20 2 રન ડકવર્થ લૂઇસના નિયમથી જીતી લીધી હતી, આજે ફરી એકવાર ડબલિનમાં મુકાબલો થશે. ભારતીય ટીમ અત્યારે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-0થી આગળ છે. આ બધાની વચ્ચે ખાસ વાત છે કે, પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી હવે લેટેસ્ટ રિપોર્ટ્ છે કે આજની બીજી ટી20 પણ વરસાદમાં ધોવાઇ જઇ શકે છે. જાણો શું છે આજનું હવામાન. મેચમાં વરસાદ પડશે કે નહીં ?ભારત-આયરલેન્ડ સીરીઝની પ્રથમ મેચની બીજી ઇનિંગમાં વરસાદ શરૂ થયો હતો. આ કારણે મેચ રદ્દ કરવી પડી હતી, અને પરિણામ ડકવર્થ-લૂઈસના નિયમથી આવ્યુ હતુ, હવે આજે રવિવારે પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવસની શરૂઆતમાં આકાશ ચોખ્ખુ અને સ્વચ્છ રહેશે, પરંતુ બપોરે 12 વાગ્યા પછી હળવો વરસાદ પડી શકે છે. જો આપણે ડબલિનના તાપમાનની વાત કરીએ તો અહીં 16 ડિગ્રી સેલ્સિયસથી 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહી શકે છે.ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટી20 મેચમાં આયરલેન્ડ 7 વિકેટો ગુમાવીને 139 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 2 વિકેટો ગુમાવીને 47 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે ડકવર્થ લૂઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ હિસાબે ટીમ ઈન્ડિયા 2 રન આગળ હતી. જેથી તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટો ઝડપી હતી, જ્યારે અર્શદીપ સિંહને એક સફળતા મળી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આયર્લેન્ડને 33 રને હરાવી ભારતે સિરીઝ જીતી
ભારતે 3 T20 શ્રેણીની બીજી મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું છે. આ રીતે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-0થી જીતી લીધી છે. આયર્લેન્ડને મેચ જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ યજમાન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. આયર્લેન્ડ માટે ઓપનર એન્ડ્ર્યુ બલબિર્નીએ 51 બોલમાં 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિશ્ના અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને 1 સફળતા મળી.