IND vs NZ 1st ODI Live: બ્રેસવેલની 140 રનની આક્રમક ઈનિંગ એળે ગઈ, રોમાંચક મેચમાં ભારતનો 12 રનથી વિજય
શ્રીલંકા સીરિઝમાં એક પણ વન-ડે ન રમનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માં સ્થાન મળશે. કેપ્ટન રોહિત શર્માએ પુષ્ટી કરી છે કે ઇશાન કિશન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે
gujarati.abplive.comLast Updated: 18 Jan 2023 09:54 PM
બ્રેકગ્રાઉન્ડ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે (બુધવાર) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાશે. ભારતીય ટીમે હાલમાં જ શ્રીલંકાને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી હરાવ્યું છે....More
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે (બુધવાર) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાશે. ભારતીય ટીમે હાલમાં જ શ્રીલંકાને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી હરાવ્યું છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડને પણ હરાવવાનું લક્ષ્ય રાખશે. બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.ઈશાન મિડલ ઓર્ડરમાં રમશેપ્રથમ વનડેમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર રહેશે. શ્રીલંકા સીરિઝમાં એક પણ વન-ડે ન રમનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માં સ્થાન મળશે. કેપ્ટન રોહિત શર્માએ પુષ્ટી કરી છે કે ઇશાન કિશન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. કેએલ રાહુલ આ સીરિઝમાં રમશે નહીતેથી ઈશાન કિશનને વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળવી પડશે. ઈશાન અત્યાર સુધીમાં દસમાંથી ત્રણ વનડેમાં મિડલ ઓર્ડરમાં ઉતર્યો છે, તેથી તેને આ ઓર્ડર પર બેટિંગ કરવાનો અનુભવ પણ છે.આ મેચમાં શુભમન ગિલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે. શુભમન ગિલે ત્રણ મેચમાં 70, 21 અને 116 રન બનાવ્યા હતા. ટીમમાં સામેલ બીજા વિકેટકીપર કેએસ ભરતની પસંદગી થવાની શક્યતા ઓછી છે કારણ કે કેએલ રાહુલની ગેરહાજરીમાં તેને કવર તરીકે રાખવામાં આવ્યો છે. આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડકપને જોતા દરેક મેચ મહત્વપૂર્ણ છે અને ભારત શ્રીલંકા સામે ગતિ જાળવી રાખવા માંગશે.સૂર્યકુમાર યાદવ પર પણ નજર રહેશેશ્રીલંકા સામે ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ગિલ અને વિરાટ કોહલી સિવાય રોહિતે પણ 83 અને 42 રનની ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે સદી ફટકારી શક્યો નહોતો. શ્રેયસ ઐય્યરના બહાર થયા બાદ હવે પ્લેઈંગ-11માં સૂર્યકુમાર યાદવનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે. સૂર્યા અને હાર્દિક પંડ્યાની હાજરી ભારતીય મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે.કેએલ રાહુલ ઉપરાંત અક્ષર પટેલને પણ આ શ્રેણી માટે બ્રેક આપવામાં આવ્યો છે, જેની જગ્યાએ શાહબાઝ અહેમદને જગ્યા મળી છે. અત્યાર સુધી ભારતે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવમાંથી એકને પસંદ કર્યો છે, જેમણે શ્રીલંકા સામે પણ પ્રભાવ પાડ્યો હતો.
બ્રેસવેલે છેલ્લી ઓવર સુધી કર્યા શ્વાસ અદ્ધર
ભારતે મેચ જીતવા આપેલા 350ના ટાર્ગેટનો પીછો કરતી વખતે ન્યુઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રન બનાવી ઓલઆઉટ થતાં ભારતનો 12 રને રોમાંચક વિજય થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી બ્રેસલવેલે 78 બોલમાં 140 રન અને સેન્ટરનરે 45 બોલમાં 57 રન બનાવ્યા હતા. બંનેએ સાતમી વિકેટ માટે 162 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ કરી હતી. ભારત તરથી મોહમ્મદ સિરાજે 46 રનમાં 4 વિકેટ, શમીએ 69 રનમાં 1 વિકેટ, હાર્દિક પંડ્યાએ 70 રનમાં 1 વિકેટ, કુલદીપ યાદવે 43 રનમાં 2 વિકેટ તથા શાર્દુલ ઠાકુરે 54 રનમાં બે વિકેટ લીધી હતી.