IND vs NZ Live Score Day 2nd: કીવીઓ સામે ટીમ ઇન્ડિયા ઘૂંટણીયે, પ્રથમ ઇનિંગ માત્ર 46 રનમાં સમેટાઇ
India vs New Zealand Test: ટીમ ઈન્ડિયા 2012થી ઘરઆંગણે કોઈ ટેસ્ટ સીરિઝ હારી નથી. જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લે 36 વર્ષ પહેલા 1988માં ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી હતી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો તે ખુબ જ ખરાબ રહ્યો. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 31.2 ઓવર રની માત્ર 46 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ ઋષભ પંતે 20 રન અને યશસ્વી જાયસ્વાલે 13 રન બનાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી અને વીલ ઓરૂરકીએ 4-4 વિકેટો ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાની આઠમી વિકેટ પડી ગઇ છે. ઋષભ પંત 20 રન કરીને આઉટ થયો હતો. હેનરીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 25.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 39 રન બનાવી લીધા છે.
ભારતે 25 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા છે. પંત 20 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 47 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા છે. કુલદીપ યાદવ હજુ ખાતું ખોલાવી શક્યો નથી.
ન્યૂઝીલેન્ડે ભારતને 7મો ઝટકો આપ્યો છે. રવિચંદ્રન અશ્વિન શૂન્ય રને આઉટ થયો હતો. મેટ હેનરીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 24 ઓવરમાં 34 રન બનાવ્યા છે. રિષભ પંત 15 રન બનાવીને રમી રહ્યો છે.
બીજા દિવસે લંચ સુધીમાં ભારતે તેના પ્રથમ દાવમાં છ વિકેટ ગુમાવીને 34 રન બનાવ્યા હતા. બુધવારે કોઈ ટોસ થયો ન હતો અને આખો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. ગુરુવારે ટોસ થયો અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વાદળછાયા વાતાવરણમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જો કે તેનો નિર્ણય અત્યાર સુધી ખોટો સાબિત થયો છે અને ટીમ ઈન્ડિયાએ માત્ર 23.5 ઓવરમાં 34 રન બનાવી લીધા છે અને છ વિકેટ ગુમાવી દીધી છે. રવિન્દ્ર જાડેજા લંચ પહેલા જ આઉટ થઈ ગયો હતો. છમાંથી ચાર બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે રોહિત બે રન બનાવીને આઉટ થયો હતો અને યશસ્વી 13 રન બનાવીને આઉટ થયો હતો. પંત 15 રન બનાવીને અણનમ છે. ન્યૂઝીલેન્ડ માટે વિલિયમ ઓ'રર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી છે. મેટ હેનરીએ બે અને ટિમ સાઉથીને એક વિકેટ મળી છે.
33 પર ભારતીય ટીમની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ છે. પાંચમાંથી ત્રણ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન અને કેએલ રાહુલનો સમાવેશ થાય છે. જ્યારે રોહિત બે રન બનાવીને આઉટ થયો હતો અને યશસ્વી 13 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંત ક્રિઝ પર છે.
ભારતને 31ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. વિલિયમ ઓ'રર્કે યશસ્વી જયસ્વાલને એજાઝ પટેલના હાથે કેચ કરાવ્યો હતો. તે 13 રન બનાવી શક્યો હતો. હાલમાં ઋષભ પંત અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. ભારતે 10 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પંત અને યશસ્વી વચ્ચે 21 રનની ભાગીદારી થઈ હતી.
10ના સ્કોર પર ભારતને ત્રીજો ફટકો લાગ્યો છે. વિરાટના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા સરફરાઝ ખાન મેટ હેનરીના બોલ પર કોનવેના હાથે કેચ આઉટ થયો હતો. વિરાટ બાદ સરફરાઝ પણ ખાતું ખોલાવી શક્યો નથી. ભારતનો ટોપ ઓર્ડર ધ્વસ્ત થઇ ગયો હતો.
નવના સ્કોર પર ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. રોહિત બાદ વિરાટ કોહલી પણ પેવેલિયન પરત ફર્યો છે. રોહિત (2) ટિમ સાઉથીની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો. વિરાટ નવા ફાસ્ટ બોલર વિલિયમ ઓ'રર્કેનો શિકાર બન્યો હતો. વિરાટ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. 2020થી અત્યાર સુધીમાં તે ટેસ્ટમાં માત્ર બે સદી ફટકારી શક્યો છે. શુભમન ગિલ આ મેચમાં નથી રમી રહ્યો.
ભારતીય ટીમને પહેલો ફટકો 9 રનના સ્કોર પર લાગ્યો હતો. ટિમ સાઉથીએ કેપ્ટન રોહિત શર્માને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે બે રન બનાવી શક્યો હતો. શુભમન ગિલ રમી રહ્યો નથી, તેથી વિરાટ કોહલી ચોથા નંબરને બદલે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs New Zealand Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ એક પણ બોલ રમ્યા વિના રદ કરવામાં આવી હતી. આ ટેસ્ટ અને સિરીઝ ન્યૂઝીલેન્ડ માટે ઘણી મહત્વની રહેશે. આ શ્રેણી દ્વારા ન્યુઝીલેન્ડ 36 વર્ષથી ચાલી રહેલા વિજય દુષ્કાળને ખતમ કરવા માંગશે.
ટીમ ઈન્ડિયા 2012થી ઘરઆંગણે કોઈ ટેસ્ટ સીરિઝ હારી નથી. જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લે 36 વર્ષ પહેલા 1988માં ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વખતે ન્યુઝીલેન્ડ વર્ષોથી ચાલી રહેલા દુષ્કાળને ખતમ કરવામાં સક્ષમ છે કે કેમ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -