Ind vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી છે. શ્રેણીની બીજી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને કાનપુર ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. તે મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. કોહલીના આગમન બાદ ટીમ ઈન્ડિયામાંથી કોને બહાર કરવામાં આવશે, આ મોટો પ્રશ્ન છે. ટીમના બે સૌથી અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે અને આવી સ્થિતિમાં શક્ય છે કે આ બે બેટ્સમેનમાંથી કોઈ એકને ટીમમાંથી બહાર કરવામાં આવે.


જો અજિંક્ય રહાણેને પ્લેઈંગ 11માંથી બહાર કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર કંઈક આવો હશે. શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા. જો કે, મયંક અગ્રવાલના સ્થાન પર પણ સસ્પેન્સ છે, કારણ કે તે કાનપુર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. હવે આવી સ્થિતિમાં જો મયંક અગ્રવાલને પડતો મૂકવામાં આવે તો કદાચ પૂજારાને ઓપનિંગ કરવામાં આવે અને રહાણેને મિડલ ઓર્ડરમાં રાખવામાં આવે.


મયંક અગ્રવાલને વધુ એક તક મળી શકે છે


ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે પણ કહ્યું કે કેપ્ટન કોહલીએ મયંક અગ્રવાલ અને અજિંક્ય રહાણેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. હું તે બંનેને ધ્યાનમાં લઈશ. આ ટોસ-અપ છે જે વિરાટ કોહલીએ કરવાનું છે.


જાફરે કહ્યું કે શું તે મયંક અગ્રવાલ સાથે જવા માંગે છે અને તેને બીજી તક આપવા માંગે છે અથવા [તેમને લાગે છે કે] અજિંક્ય રહાણેએ મેલબોર્ન ટેસ્ટ પછી છેલ્લી 10-12 ટેસ્ટમાં પૂરતા રન બનાવ્યા નથી, તેથી તે આઉટ થઈ ગયો છે. તે એક અઘરો કૉલ છે, ચોક્કસપણે એક અઘરો કૉલ છે.


જો કોહલી મયંક અગ્રવાલની સાથે જાય છે, તો મુંબઈ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 કંઈક આવી હોઈ શકે છે. શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, સાહા, અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.