ક્રાઇસ્ટચર્ચઃ બીજી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા ફેરફારોના અહેવાલને લઇને હવે નવા રિપોર્ટ સામે આવી રહ્યાં છે. વિરાટ સેના હાલ ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચોની સીરીઝમાં 0-1થી પાછળ છે, ત્યારે બીજી મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાવવાની છે, જે કરો યા મરોની સ્થિતિ સમાન છે.


કેટલાક રિપોર્ટમાં કહેવાયુ છે કે, અંતિમ અને બીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં કેપ્ટન કોહલી એક ફેરફાર કરી શેક છે. તે પ્રમાણે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને રમાડી શકે છે. કેમકે જાડેજા બેટિંગમાં પણ સાથ આપી શકે છે.



ભારતીય ટીમના સંભવિત 11 ખેલાડીઓ....
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.