Indis vs Sri Lanka 3rd T20I: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે, આજની મેચ ગુજરાતના રાજકોટના સ્ટેડિયમમાં રમાશે, આ મેચમાં બન્ને ટીમો જીત માટે પ્રયાસ કરશે, બન્ને ટીમો આજે સીરીઝ પર કબજો જમાવવા માટે મેદાનમાં ઉતરશે. 


ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ ટી20માં ભારતીય ટીમે જીત હાંસલ કરી હતી, જોકે, બીજી ટી20માં શ્રીલંકન ટીમે વાપસી કરતાં શાનદાર જીત મેળવી હતી, આ સાથે જ બન્ને ટીમો સીરીઝમાં 1-1ની બરાબરી પર આવી ગઇ છે. આજે 7 મી જાન્યુઆરી 2023ના દિવસે રાજકોટના સૌરાષ્ટ્ર એસોશિએન ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર બન્ને ટીમો આમને સામને ટકરાશે.  


શ્રીલંકાને પહેલી સીરીઝ જીતવાનો ઇન્તજાર - 
શ્રીલંકા ટીમ ભારત છઠ્ઠીવાર ટી20 સીરીઝ રમવા ભારત આી છે, ભારતીય જમીન પર મહેમાન ટીમે 2009 માં બેસ્ટ પ્રદર્શન કર્યુ હતુ, ત્યારે બન્ને દેશોની વચ્ચે રમાયેલી 2 મેચોની સીરીઝમાં 1-1 ની બરાબરી થઇ હતી. ત્યારબાદ ચાર પ્રવાસ પર શ્રીલંકાની ટીમે ઇન્ડિયાને ક્યારેય હરાવ્યુ નથી. આજે ભારતીય ટીમને હરાવીને શ્રીલંકન ટીમ ભારતની જમીન પર પહેલી ટી20 સીરીઝ જીતવા પ્રયાસ કરશે. જોકે હવે આજે હાર્દિક પંડ્યાની સેના શું કરી શકે છે. બન્ને ટીમો પર આજે જીતવા માટે દબાણ રહેશે. 


 


IND vs SL: શું ત્રીજી વનડેમાં અર્શદીપને બહાર કરવામાં આવશે? પૂણે ટી20મા 'નો બોલ' નો કર્યો હતો વરસાદ


નો બોલની હેટ્રિક


અર્શદીપ શ્રીલંકાની ઇનિંગની બીજી ઓવર નાખવા આવ્યો હતો. આ દરમિયાન કુસલ મેન્ડિસ તેની સામે હતો. તેણે પોતાના પ્રથમ પાંચ બોલમાં 5 રન આપ્યા હતા. પરંતુ છઠ્ઠો બોલ નો બોલ નાખ્યો હતો. આ પછી તેણે સતત બે વધુ નો બોલ ફેંક્યા હતા. આ રીતે અર્શદીપે નો બોલમાં હેટ્રિક ફટકારી હતી. આ વધારાના ત્રણ બોલમાં તેણે 14 રન આપ્યા હતા. અર્શદીપે પ્રથમ ઓવરમાં કુલ 19 રન ખર્ચ્યા હતા. તેમના સિવાય શિવમ માવી અને ઉમરાન મલિકે એક-એક નો બોલ ફેંક્યો હતો. બીજી વનડેમાં ભારત દ્વારા કુલ 7 બોલ ફેંકવામાં આવ્યા હતા, જેના પર 22 રન બન્યા હતા. જો એકસ્ટ્રા તરીકે ચાર વાઈડ બોલ ઉમેરવામાં આવે તો ભારતે શ્રીલંકાના દાવમાં 21.5 ઓવર ફેંકી હતી.


અર્શદીપે 14 વખત ઓવરસ્ટેપિંગ કર્યું છે





લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપે ભારત માટે 22 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 14 વખત ઓવરસ્ટેપિંગ કરીને નો બોલ ફેંક્યા હતા. આ દર્શાવે છે કે અર્શદીપના નો બોલની સમસ્યા આવે છે. તેની નબળાઈના કારણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચિંતા વ્યક્ત કરી હતી. પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન હાર્દિકે કહ્યું, તમારા માટે એક દિવસ સારો હોઈ શકે છે. એક દિવસ તમારા માટે ખરાબ હોઈ શકે છે. પરંતુ તમારે મૂળભૂત બાબતોથી દૂર ન જવું જોઈએ. આ સ્થિતિમાં અર્શદીપ માટે ઘણું મુશ્કેલ છે.