India 2023 ODI World Cup Squad: આગામી 5મી ઓક્ટોબરથી દેશમાં રમાનારા 2023 વનડે વર્લ્ડકપ માટે ભારતની 15 સભ્યોની ટીમ નક્કી થઇ ચૂકી છે. અહેવાલો અનુસાર, સિલેક્ટરો આગામી વનડે વર્લ્ડકપ માટે ભારતની 15 સભ્યોની ટીમને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. એશિયા કપ માટે પસંદ કરવામાં આવેલી 18 સભ્યોની ટીમમાંથી ત્રણ ખેલાડીઓને પડતો મૂકવામાં આવ્યો છે.


આ ત્રણ ખેલાડીઓને વર્લ્ડકપ ટીમમાં નહીં મળે જગ્યા - 
એશિયા કપ માટે પસંદ કરાયેલી 18 સભ્યોની ટીમમાંથી ત્રણ ખેલાડીઓને વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળ્યું નથી. રિપોર્ટ અનુસાર મીડલ ઓર્ડર બેટ્સમેન તિલક વર્મા, ફાસ્ટ બૉલર પ્રસિદ્ધ કૃષ્ણા અને વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવ્યા નથી.


પુરેપુરી રીતે ફિટ થયો કેએલ રાહુલ - 
BCCIની મેડિકલ ટીમે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કર્યો છે. તે ટૂંક સમયમાં જ શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. આ સાથે તેમનો વર્લ્ડકપ રમવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.


આ 15 ખેલાડીઓને વર્લ્ડકપ માટેની ટીમમાં પસંદ કરવામાં આવ્યા - 
વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમમાં સાત બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા, શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને ઈશાન કિશનનો સમાવેશ થાય છે. ટીમમાં ત્રણ ઓલરાઉન્ડર, એક મુખ્ય સ્પિનર ​​અને ચાર ઝડપી બોલરોને સ્થાન મળ્યું છે. જેમાં અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. ઝડપી બોલરોની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.


2023 વનડે વર્લ્ડકપ માટે ભારતની 15 સભ્યોની ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (રિઝર્વ વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન) , રવિન્દ્ર જેડજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.


વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ગણતરીના મિનિટોમાં જ વેચાઈ ગઈ - 


એશિયા કપમાં શનિવારે ભારત-પાકિસ્તાનના મુકાબલો થશે. એશિયા કપ બાદ વર્લ્ડકપમાં 14 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એશિયાના બંને કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે.


ભારતની વર્લ્ડ કપ મેચોની મેચની ટિકિટ બુકમાયશો વેબસાઇટ પર 29મી ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે લાઇવ થઈ હતી. ભારત વિ પાકિસ્તાન મેચની ટિકિટો મિનિટોમાં વેચાઈ જતાં ચાહકો નિરાશ થયા હતા. ચાહકોને 6 કલાકથી વધુ સમય માટે વર્ચ્યુઅલ કતારોમાં રાહ જોવાનું કહેવામાં આવ્યા પછી ચાહકોએ તેમની નબળી સેવા માટે સોશિયલ મીડિયા પર ટિકિટિંગ પાર્ટનરને ફટકાર લગાવી હતી.


ટિકિટ વેચાણ લાઇવ થયાની થોડી જ મિનિટોમાં, BookMyShow ક્રેશ થઈ ગયું. આના પગલે, આતુર ચાહકો વર્ચ્યુઅલ કતારોમાં જોડાયા હતા. જેમ જેમ સેકન્ડો વીતી ગઈ તેમ તેમ કતારમાં રાહ જોવાનો સમય ઝડપથી વધતો ગયો.


પ્રતીક્ષામાં માંડ 5 મિનિટ, ચાહકોને કતારમાં રાખવામાં આવ્યા હતા અને BMS વેબસાઇટ દ્વારા તેમને 6 કલાકથી વધુ સમય સુધી ધીરજપૂર્વક કતારમાં રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું. જેમને ટિકિટ બુક કરવાનો મોકો મળ્યો તેઓ ખુદને નસીબદાર માનતા હતા. પરંતુ પછી ફરીથી, ટિકિટોની વધુ માંગને કારણે, જેમને તક મળી તેઓને શક્ય તેટલી વહેલી તકે ટિકિટ બુક કરવા માટે કહેવામાં આવ્યું.


લગભગ 2 કલાકની રાહ જોયા પછી, કતારનો સમય ઓછો થવા લાગ્યો અને પછી BMS વેબસાઇટ પર પ્રદર્શિત થઈ કે ટિકિટો વેચાઈ ગઈ છે. ચાહકો આ બાબતથી ખૂબ જ નિરાશ થયા હતા  


ભારતનો પાકિસ્તાન સામે કેવો છે રેકોર્ડ


પાકિસ્તાને ભારત સામે 73 મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમ માત્ર 55 મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો વચ્ચે 4 મેચ કોઈપણ પરિણામ વિના સમાપ્ત થઈ ગઈ છે. પાકિસ્તાને તટસ્થ સ્થળોએ ભારત સામે 40 મેચ જીતી છે. જ્યારે ભારતે તટસ્થ સ્થળોએ પાકિસ્તાનને 33 વખત હરાવ્યું છે. આ સિવાય પાકિસ્તાને તેની ધરતી પર ભારત સામે 14 મેચ જીતી છે. જ્યારે તેમને 11 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


46 દિવસ સુધી ચાલશે ટુર્નામેન્ટ


ICC એ 2023 ક્રિકેટ વર્લ્ડકપ શિડ્યૂલની જાહેરાત કરી હતી. 46 દિવસ સુધી ચાલનારા વર્લ્ડકપ મેચમાં કુલ 48 મેચો 12 સ્થળો પર રમાશે. રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન યોજાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી ટુર્નામેન્ટની શરૂઆત થશે.