India World Test Championship 2025 Final Qualification Scenario: ન્યૂઝીલેન્ડે ભારત સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. આનાથી ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવાની આશાઓને ઝટકો લાગ્યો છે. પુણે ટેસ્ટ હાર્યા પછી પણ ભારતીય ટીમ ટેબલમાં ટોપ પર છે, પરંતુ હવે ફાઈનલની રેસ પહેલા કરતાં વધુ રસપ્રદ બની ગઈ છે. યાદ અપાવી દઈએ કે હજી ભારતે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી મેચ અને પછી ઓસ્ટ્રેલિયા જઈને બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ રમવાની છે. તો આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભારતના ફાઈનલમાં જવાના સમીકરણો શું છે?


ભારતના ફાઈનલમાં જવાનું સમીકરણ:


ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 1 નવેમ્બરથી શરૂ થવાની છે. ત્યારબાદ 22 નવેમ્બરથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થશે, જેમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા હજી 62.82 પોઈન્ટ્સ ટકાવારી સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા નંબર પર રહેલ ઓસ્ટ્રેલિયાની ટકાવારી 62.5 છે. આનો અર્થ એ કે એક વધુ હાર પછી ભારત બીજા સ્થાને સરકી જશે.


હવે WTCના શેડ્યૂલ પહેલાં ભારતીય ટીમે કુલ 6 ટેસ્ટ મેચ રમવાની છે. જો ભારત કોઈ મુશ્કેલી વિના ફાઈનલમાં જવા માંગે છે તો તેણે આગામી 6માંથી ઓછામાં ઓછી ચાર જીત નોંધાવવી પડશે. જો ટીમ ઈન્ડિયા છેલ્લી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી દે છે તો ત્યારબાદ રોહિત એન્ડ કંપનીએ સુનિશ્ચિત કરવું પડશે કે તે ઓસ્ટ્રેલિયા સામે ઓછામાં ઓછી ત્રણ મેચ જીતે. જો ભારત આવું ન કરી શકે તો તેને ફાઈનલમાં જવા માટે અન્ય ટીમો પર આધાર રાખવો પડશે.


ભારત બે ફાઈનલ રમનાર પ્રથમ દેશ


અત્યાર સુધીના ઇતિહાસમાં બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ છે. 2021માં રમાયેલી પહેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે નિરાશાજનક હાર સ્વીકારવી પડી હતી. વર્ષ 2023માં એકવાર ફરી ભારત ઊંચા મનોબળ સાથે ફાઈનલમાં પહોંચ્યું, જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થયો. ધ ઓવલ મેદાનમાં રમાયેલી તે મેચમાં શરૂઆતથી જ કાંગારૂ ટીમે દબદબો જાળવી રાખ્યો અને 209 રનની મોટી જીત નોંધાવી. ભારત અત્યાર સુધી બે ફાઈનલ રમનાર પ્રથમ દેશ છે.


આ પણ વાંચોઃ


IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો