India vs England ODI squad 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામે રમાનારી 3 મેચની વનડે (ODI) શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં એક મોટો ફેરફાર કર્યો છે. ઈજાના કારણે યુવા ખેલાડી નીતિશ કુમાર રેડ્ડી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, અને તેના સ્થાને વિસ્ફોટક ઓલરાઉન્ડર શિવમ દુબેની 2 વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી થઈ છે. આ સિરીઝમાં ચાહકો માટે સારા સમાચાર એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમતા જોવા મળશે.

Continues below advertisement

નીતિશ કુમાર રેડ્ડી કેમ થયો બહાર?

ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમાર રેડ્ડીને અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડે મેચ દરમિયાન ઈજા પહોંચી હતી. આ પહેલા ધર્મશાલામાં રમાયેલી પ્રથમ વનડેમાં પણ તેને ફિટનેસની સમસ્યા નડી હતી, જેના કારણે તે બીજી મેચ રમી શક્યો ન હતો. પોતાની આ જ ઈજાને કારણે તે આયર્લેન્ડ અને હવે ઇંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે.

Continues below advertisement

શિવમ દુબેની 2 વર્ષ પછી વનડેમાં ધમાકેદાર વાપસી

નીતિશના સ્થાને હવે શિવમ દુબેને તક આપવામાં આવી છે. શિવમ દુબે T20 ફોર્મેટમાં તો ટીમનો નિયમિત હિસ્સો રહ્યો છે, પરંતુ તેણે પોતાની છેલ્લી વનડે મેચ ઓગસ્ટ 2024 માં શ્રીલંકા સામે રમી હતી. હવે લગભગ 2 વર્ષના લાંબા અંતરાલ પછી તેને ફરીથી વનડે ફોર્મેટમાં પોતાની તાકાત બતાવવાની તક મળી છે.

આ પણ વાંચોઃ ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

બીજી તરફ, જ્યારે BCCI દ્વારા શરૂઆતમાં ટીમની જાહેરાત થઈ ત્યારે વિરાટ કોહલીનું રમવું ફિટનેસ પર નિર્ભર હતું. પરંતુ હવે વિરાટ સંપૂર્ણપણે ફિટ છે અને તેના નામ આગળથી "ફિટનેસને આધીન" (Subject to fitness) કલમ હટાવી દેવામાં આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ 3 મેચની વનડે શ્રેણી 14 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન રમાશે.

ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતની ટીમ:

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર)

આ પણ વાંચોઃ Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ