ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તાજેતરમાં આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ કાર્યક્રમમાં નવરાત્રિના તહેવારને કારણે ભારત-પાકિસ્તાન સહિત 6 મેચો બદલાશે. નોંધનીય છે કે ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. આ શાનદાર મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ તે 14 ઓક્ટોબરે કરવામાં આવશે


પાકિસ્તાનની 2 મેચમાં ફેરફાર થશે


આ પહેલા સમાચાર આવ્યા હતા કે ભારત-પાકિસ્તાન મેચની માત્ર તારીખ બદલાશે. પરંતુ હવે સૂત્રો તરફથી સમાચાર આવ્યા છે કે ભારત-પાકિસ્તાન મેચ સહિત કુલ 6 મેચોના કાર્યક્રમમાં પરંતુ ફેરફાર કરવામાં આવશે.  નવરાત્રિના કારણે સૌથી મોટો ફેરફાર એ છે કે 15ને બદલે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ યોજાશે. આ સાથે 12 ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાનની બીજી મેચમાં ફેરફાર કરવામાં આવશે. આ મેચ શ્રીલંકા સામે થવાની છે, જે હવે હૈદરાબાદમાં 12ને બદલે 10 ઓક્ટોબરે રમાશે. જ્યારે ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે 9 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાનાર મેચ હવે 12 ઓક્ટોબરે રમાઈ શકે છે.


હવે આ મેચ 15 ઓક્ટોબરે યોજાશે.


આ સિવાય 14 ઓક્ટોબરે બપોરે દિલ્હીમાં રમાનાર ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચ સવારે યોજાશે. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે 14 ઓક્ટોબરની સવારે રમાનારી મેચને 15 ઓક્ટોબરમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. આ સિવાય 9 ઓક્ટોબરે પણ મેચ યોજાય તેવી શક્યતા છે. ICC વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કરી શકે છે. નોંધનીય છે કે ભારત દ્વારા આયોજિત થનારો ICC વર્લ્ડ કપ 2023  5 ઓક્ટોબરથી શરૂ થશે. તેની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.


વર્લ્ડ કપની આ મોટી મેચોમાં ફેરફાર થશે


- ભારત Vs પાકિસ્તાન: 15 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર શિફ્ટ થશે


- પાકિસ્તાન Vs શ્રીલંકાઃ 12 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર શિફ્ટ થશે


- ન્યૂઝીલેન્ડ Vs નેધરલેન્ડ્સઃ  9 ઑક્ટોબરથી 12 ઓક્ટોબર શિફ્ટ થશે


- ઈંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાનઃ ઑક્ટોબર 14 સવારમાં શિફ્ટ થઈ શકે છે


- ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ: 14 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર - ડબલ હેડર ડેમાંથી એક મેચ 9 ઑક્ટોબરમાં શિફ્ટ થઇ શકે છે.


 


જય શાહે પણ મેચ પર મોટું નિવેદન આપ્યું હતું


હાલમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે 2-3 સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શિડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ કરીને તે ભારત અને પાકિસ્તાનની મેચ માટે નથી. 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને નવરાત્રિ તહેવારને કારણે તારીખ બદલવા માટે એલર્ટ કરી દીધું છે. એક સૂત્રએ કહ્યું હતું કે એજન્સીઓએ અમને આ વિશે જણાવ્યું છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં નિર્ણય લઈશું.