દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ સીઝન છેલ્લા તબક્કામાં પહોંચી છે અને હવે માત્ર ચાર જ મેચો બાકી છે ત્યારે ભારે રોમાંચક સ્થિતી છે.  પ્લે-ઓફમાં પહોંચનારી ચાર ટીમોમાંથી માત્ર એક જ ટીમ નક્કી થઈ છે અને બાકી રહેલાં 3 સ્થાન માટે છ ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા છે.


અત્યારે જે સ્થિતી છે તેમાં  મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)  ટીમ જ પ્લે-ઓફમા પહોંચી છે. મુંબઈ ઈન્ડિયન્સ 18 પોઇન્ટ સાથે ટોચ પર છે અને તેનું સ્થાન નક્કી છે કેમ કે બીજી કોઈ ટીમ હવે 18 પોઈન્ટ પર પહોંચી શકે તેમ નથી પરંતુ પ્લે ઓફમાં રમનારી બાકીની 3 ટીમની ટીમો કઈ હશે તે અંગેનું ચિત્ર અત્યારે સ્પષ્ટ નથી. ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)  ફેંકાઈ ગઈ છે પણ બાકીની 6 ટીમો હજી પણ પ્લે-ઓફનાં 3 સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.


ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)  ભલે ફેંકાઈ ગઈ પણ તે કિંગ્સ ઈલેવન  પંજાબનો ખેલ બગાડી શકે છે. કિંગ્સ ઈલેવ્ન પંજાબની ટીમ અત્યારે 13 મેચોમાં 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. પ્લ-ઓફમાં પહોંચવા તેણે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ફરજિયાત અને મોટા માર્જિનથી હરાવવી જરૂરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)   સામે પંજાપ ના જીતે તો તેના 12 પોઈન્ટ જ રહી જશે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સના પહેલાં જ 14-14 પોઈન્ટ છે. બંનેએ છેલ્લી મેચ એકબીજા સામે રમવાની હોવાથી પંજાબની હાર સાથે બંને ટીમો પ્લે-ઓફમાં પહોંચી જશે. બાકીની મેચોમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સની મેચ બાકી છે. આ બંને ટીમો પણ 12-12 પોઈન્ટ મેળવી ચૂકી છે. પંજાબ હારશે તો બંનેમાંથી જે ટીમ જીતશે તે પ્લે-ઓફમાં પહોંચનારી ચોથી ટીમ બનશે.