નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી વચ્ચે યૂએઈમાં યોજાવા જઈ રહેલી આઈપીએલના શેડ્યૂલ માટે ક્રિકેટ ચાહકોએ હજુ રાહ જોવી પડશે. આઈપીએલનો કાર્યક્રમ રવિવારે( 6 સપ્ટેમ્બર) રિલીઝ થશે.


આઈપીએલના ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે આ અંગે જાણકારી આપી છે, આ પહેલા બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 4 સપ્ટેમ્બરે ટૂર્નામનેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થશે તેમ જણાવ્યું હતું.



આમ તો બીસીસીઆઈ દ્વારા ઉદ્ઘાટન મેચ અને ટૂર્નામેન્ટની ફાઈનલની તારીખ અગાઉથી જ જાહેર કરી દીધી છે. 19 સપ્ટેમ્બરથી શરુ થનારી આઈપીએલની 13મી સીઝનનો ફાઈનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે.