મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં અમદાવાદને કુલ 12 મેચ ફાળવાઈ છે અને સૌથી મહત્વની વાત એ છે કે ફાઈનલ સહિતની મહત્વની મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આગામી 9 એપ્રિલથી શરૂ થનારી આઈપીએલની ફાઈનલ 30 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઠ લીગ મેચો ઉપરાંત તમામ ત્રણ ક્વોલિફાયર અને ફાઇનલ પણ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી 8 લીગ મેચમાં દિલ્લી, બેંગલોર, કોલકાત્તા અને પંજાબ એ ચાર ટીમો રમશે. 9 એપ્રિલે વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઈમાં આઈપીએલની આ 14મી સિઝનની સૌ પ્રથમ મેચ યોજાશે. અમદાવાદમાં રમાનારી મેચની વિગત નીચે પ્રમાણે છે. અમદાવાદમાં રમાનારી મેચ એપ્રિલ
26 એપ્રિલ પંજાબ-કોલકાતા
૨૭ દિલ્હી-બેંગ્લોર
૨૯ દિલ્હી-કોલકાતા
૩૦ પંજાબ-બેંગ્લોર
મે
૨ મે પંજાબ-દિલ્હી
૩ મે કોલકાતા-બેંગ્લોર
૬ મે બેંગ્લોર-પંજાબ
કોલકાતા-દિલ્હી
૨૫ પ્રથમ ક્વોલિફાયર
૨૬ એલિમિનેટર
૨૮ બીજી ક્વોલિફાયર
૩૦ ફાઇનલ