નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબે મંગળવારે આઇપીએલની 38મી મેચમાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવી દીધુ, મેચ બાદ પંજાબના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે તેની ટીમે પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર બન્ને ટીમોને હરાવવાનુ લક્ષ્ય રાખ્યુ હતુ. તેને ખુલાસો કર્યો કે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ છેલ્લી મેચ સુપર ઓવર સુધી ખેંચાયા બાદ તે રાત્રે ઉંઘી પણ નહતો શક્યો.


રાહુલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ જીત બાદ કહ્યું- છેલ્લી મેચોથી અમે પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર રહેલી બન્ને ટીમોને હરાવવા માટે ચર્ચા કરી હતી. હું ગઇ મેચ બાદ ઉંઘી નહતો શક્યો. અમારે તેને પહેલા જ પુરુ કરવુ જોઇતુ હતુ, અને તેને સુપર ઓવર સુધી ન હતુ ખેંચવાનુ. તે મેચે અમને વિનમ્ર રહેવાન શીખવાડ્યુ. છેવટે રમત આપણા કરતા મોટી હોય છે.

પંજાબે તે મેચમાં ડબલ સુપર ઓવરમાં મુંબઇ પર જીત નોંધાવી હતી, હવે આ ટીમે ટૉપ પર રહેલી દિલ્હીને હરાવી. દિલ્હીની ટીમે શિખર ધવનના અણનમ 106 રનોની મદદથી પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા, પંજાબે નિકોલસ પૂરનને 53 રનની મદદથી 19 ઓવરમાં જ પાંચ વિકેટે 167 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

રાહુલે પોતાની ટીમના બૉલરોની ખુબ પ્રસંશા કરી હતી, તેને કહ્યું- મોહમ્મદ શમીનો ગઇ મેચથી આત્મવિશ્વાસ વધ્યો છે. તે દરેક મેચમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. અર્શદીપ સિંહે પાવરપ્લેમાં બે અને ડેથ ઓવરોમાં એક ઓવર કરી, તેના છ યોર્કર કરવા શાનદાર રહ્યાં.