LSG vs CSK: લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને એકતરફી મેચમાં 8 વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા, CSK એ રવિન્દ્ર જાડેજાની 57 રનની અર્ધસદીની ઇનિંગ અને અંતે એમએસ ધોનીની 28 રનની વિસ્ફોટક ઇનિંગને કારણે 176 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી એલએસજીની ટીમે શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. લખનૌના બંને ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકે અર્ધસદી ફટકારી હતી. ડી કોકે 43 બોલમાં 54 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલે 53 બોલમાં 82 રન ફટકારીને ટીમને 8 વિકેટે જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.


 






ડી કોક 15મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો અને આ સમયે ટીમનો સ્કોર 134 રન હતો. લખનૌ સુપર જાયન્ટ્સને હજુ અંતિમ 30 બોલમાં 43 રનની જરૂર હતી. એક તરફ, રાહુલ ક્રિઝ પર ઉભો હતો, જ્યારે બીજા છેડેથી, નિકોલસ પુરને આવતાની સાથે જ CSK બોલરોને મારવાનું શરૂ કર્યું. એલએસજીના બેટ્સમેનોએ આગલી 2 ઓવરમાં 27 રન બનાવ્યા હતા, જેના કારણે મેચનું પરિણામ હવે માત્ર ઔપચારિકતા રહી ગયું હતું. લખનૌને 18 બોલમાં 16 રનની જરૂર હતી. છેલ્લી ઓવરોમાં બોલ બેટ પર યોગ્ય રીતે આવી રહ્યો નહોતો, તેથી બેટ્સમેન માટે રન બનાવવા મુશ્કેલ બની રહ્યા હતા. આ દરમિયાન તુષાર દેશપાંડેએ 19મી ઓવરમાં જ 15 રન આપીને લખનૌની જીત સુનિશ્ચિત કરી હતી. નિકોલસ પૂરને 12 બોલમાં 23 રન બનાવ્યા અને વિનિંગ શોટ ફટકારીને એલએસજીને 8 વિકેટે જીત અપાવી.


CSK બોલિંગ નિષ્ફળ
ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરો મેચ પર પોતાની પકડ જાળવી શક્યા ન હતા. ચેન્નાઈ તરફથી માત્ર મુસ્તફિઝુર રહેમાન અને મથિશા પાથિરાના 1-1 વિકેટ લઈ શક્યા હતા. પીચ મુજબ, CSK પાસે બચાવ માટે ઓછો સ્કોર હતો, તેથી બોલરોએ નિયમિત અંતરે વિકેટ લેવાની જરૂર હતી. પરંતુ રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે અને દીપક ચહર પણ વિકેટ લેવામાં નિષ્ફળ સાબિત થયા હતા.


ચૈન્નાઈએ લખનઉને જીતવા માટે  177 રનનો ટાર્ગેટ આપ્યો હતો



ચૈન્નાઈએ લખનઉને જીતવા માટે  177 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચૈન્નાઈ તરફથી જાડેજાએ 57 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ધોની 9 બોલમાં 28 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. લખનઉ તરફથી કૃણાલ પંડ્યાને બે વિકેટ મળી હતી.