Matt Henry Injured: શ્રીલંકા બાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. આ પ્રવાસ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મેટ હેનરી ઈજાગ્રસ્ત થયો છે. 31 વર્ષીય મેટ હેનરીને પેટમાં દુખાવા(Abdominal strain) ની સમસ્યા હતી. હેનરી પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. હવે હેનરી પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી બાદ સ્વદેશ પરત ફરશે. આ સીરીઝ બાદ તેને પાકિસ્તાન અને ભારત સામે વનડે સીરીઝ રમવાની હતી.


પાકિસ્તાન સામે રમાનારી વનડે શ્રેણી 9મી જાન્યુઆરીથી શરૂ થશે. તે જ સમયે, શ્રેણીની છેલ્લી મેચ 13 જાન્યુઆરીએ રમાશે. આ પછી ટીમ ભારતના પ્રવાસે જશે. જ્યાં 18 જાન્યુઆરીથી વનડે શ્રેણી શરૂ થશે. તે જ સમયે, શ્રેણીની છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ રમાશે. ત્યારપછી ટી-20 શ્રેણી શરૂ થશે. હેનરી ભારત અને પાકિસ્તાન બંને વનડે શ્રેણીમાં કિવી ટીમનો ભાગ હતો. હવે તે બંને શ્રેણીમાંથી ટીમની બહાર છે. જો કે હજુ સુધી ટીમમાં તેના સ્થાને કોઈ ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નથી.


શા માટે ઈજા થઈ, કોચ ગેરી સ્ટેડે જવાબ આપ્યો


આ વિશે વાત કરતાં ગેરી સ્ટેડે કહ્યું, “છેલ્લા 12 દિવસથી (કરાંચીમાં 10 દિવસ) રમવું મુશ્કેલ હતું અને આખો દિવસ એવો રહ્યો જ્યારે હવામાનમાં કોઈ વિરામ નહોતો. તેથી જ્યારે તમે દરેક ટેસ્ટ મેચમાં આઠ સત્રો માટે મેદાન પર હોવ ત્યારે મને લાગે છે કે ખેલાડીઓ પર કુદરતી રીતે ઘસારો (ઇજા) હોય છે.


નબળી ટીમ


મેટ હેનરી બાદ કિવી ટીમ વધુ નબળી દેખાઈ રહી છે. ભારત-પાકિસ્તાન સિરીઝ માટે ટીમ વધુ ને વધુ નબળી પડી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, એડમ મિલ્ને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તેની તૈયારીને લઈ ચિંતાની વાત કરી બહાર જવાનો નિર્ણય કર્યો હતો. 


 


સૂર્યા T20I રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે


સૂર્યકુમાર યાદવ હાલમાં ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. ગયા વર્ષે તે એકમાત્ર એવો ખેલાડી હતો જેણે T20 ક્રિકેટમાં 1000થી વધુ રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં સૂર્યકુમારે 45 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 180.34ની અદભૂત સ્ટ્રાઈક રેટથી 1578 રન બનાવ્યા છે. શનિવારે શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચોની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેણે 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા. આ તેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની ત્રીજી સદી હતી. 


શ્રીલંકા સામેની આ મેચમાં સૂર્યાએ 7 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી તેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સૂર્યા ભારત માટે બીજા નંબર પર આવી ગયો છે. રોહિત શર્મા 4 સદી સાથે નંબર પર છે.


આ સિવાય તેણે ભારતીય ટીમ માટે T20માં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચમાં તે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી શક્યો હતો. તે જ સમયે, રોહિત શર્મા 35 બોલમાં સદી ફટકારીને આ મામલે નંબર વન પર છે. સૂર્યાની આ ઇનિંગના કારણે ભારતીય ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 229 રન બનાવી શકી હતી.