Ravindra Jadeja Injury Team India T20 World Cup 2022: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે T20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગયો છે. આ પહેલા જાડેજા એશિયા કપ 2022માંથી પણ બહાર થઈ ગયો હતો. તેણે પાકિસ્તાન સામે મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ મેચ બાદ સમાચાર આવ્યા કે તે ઈજાગ્રસ્ત છે અને એશિયા કપની બાકીની મેચોમાં રમી શકશે નહીં. જાડેજાને ઘૂંટણમાં ઈજા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે હવે T20 વર્લ્ડ કપ પછી જ મેદાનમાં પરત ફરી શકશે.


રવિન્દ્ર જાડેજા ફોર્મમાં હતો અને તેની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો છે. તે ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો અને હવે ટી20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાડેજા ઘૂંટણની સર્જરી કરાવ્યા બાદ જ મેદાનમાં પરત ફરી શકશે. ભારતીય ટીમ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં જાડેજા જેવા ખેલાડીની ઈજા ટીમ માટે નુકસાન સમાન છે.


ભારતે ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ ખૂબ જ કપરી હતી અને છેલ્લી ઓવર સુધી ચાલી હતી. આ મેચમાં જાડેજાએ હાર્દિક પંડ્યા સાથે અડધી સદીની ભાગીદારી રમીને ભારતને જીત સુધી પહોંચાડ્યું હતું. જાડેજાએ 29 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પંડ્યાએ 17 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.


ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં જાડેજા(Ravindra Jadeja)એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 29 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. જાડેજા અને પંડ્યા વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા આસાનીથી જીતી ગઈ.


આ પણ વાંચોઃ


Entertainment News: સુકેશ ચંદ્રશેખર ઠગાઈ મામલે EOW એ Nora Fatehi ની કરી પૂછપરછ, 6 કલાક પૂછ્યા સવાલ


Flood: પાકિસ્તાનનો 33 ટકા હિસ્સો જળમગ્ન, 1200થી વધુ લોકોના મોત, 3 કરોડો લોકો પ્રભાવિત


In Pics: બ્રહ્માસ્ત્રને પ્રમોટ કરવા સુપર ક્યુટ અંદાજમાં પહોંચી Alia Bhatt, બતાવ્યું Baby on Board….


Corona Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિન, જાણો શું છે ખાસિયતો


US Opens 2022:   સેરેના વિલિયમ્સ યુએસ ઓપનમાંથી હાર, એગ્લા ટોમલ્જાનોવિકે આપી હાર