IPL 2025 Rohit Sharma Mumbai Indians:  IPL 2025 પહેલા ઘણા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ માટે પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતનાર રોહિત શર્મા(Rohit Sharma) આઈપીએલ 2025(IPL 2025) પહેલા ફ્રેન્ચાઈઝી છોડી શકે છે. જોકે, આઈપીએલ 2024માં જ એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત શર્મા મુંબઈ માટે નહીં પરંતુ આગામી વર્ષની આઈપીએલમાં કોઈ અન્ય ટીમ માટે રમશે. હવે આ અટકળો વચ્ચે જે રિપોર્ટ સામે આવ્યો છે તેણે બધાને ચોંકાવી દીધા છે.


મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024 પહેલા હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો, ત્યારબાદ સમાચાર તેજ બન્યા હતા કે રોહિત શર્મા 2025 આઈપીએલમાં ફ્રેન્ચાઈઝી છોડી શકે છે. હવે 'દૈનિક જાગરણ'ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સને અલવિદા કહી શકે છે. એટલું જ નહીં, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે હિટમેન મુંબઈ છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ બની શકે છે. રિપોર્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા સૂર્યકુમાર યાદવ વિશે પણ કહેવામાં આવ્યું હતું કે તે પણ ફ્રેન્ચાઈઝી છોડી શકે છે.


રોહિતને સુકાનીપદેથી હટાવ્યા બાદ ચાહકો ખુશ નહોતા


તમને જણાવી દઈએ કે IPL 2024માં રોહિત શર્માને હટાવીને અને હાર્દિક પંડ્યાની મુંબઈના કેપ્ટન તરીકે નિમણૂકથી ફેન્સ બિલકુલ ખુશ ન હતા. ચાહકોનું માનવું હતું કે પાંચ વખત ફ્રેન્ચાઈઝીનો ખિતાબ જીતી ચૂકેલા રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવા ન જોઈએ. રોહિત શર્માએ 2013માં મુંબઈની કમાન સંભાળવાની શરૂઆત કરી હતી અને 2023 સુધી તે કેપ્ટન રહ્યો હતો. આ દરમિયાન મુંબઈએ રોહિતની કેપ્ટનશીપમાં 5 ટાઈટલ જીત્યા હતા.


જોકે, રોહિત શર્માના અલગ થવાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આવી સ્થિતિમાં રોહિત શર્મા 2025 IPLમાં કઈ ફ્રેન્ચાઈઝી માટે રમે છે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.


આઈપીએલની છેલ્લી સીઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી રહી ન હતી. હવે IPL 2025 પહેલા તેની સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર રોહિત શર્માની સાથે વધુ બે દિગ્ગજ ખેલાડી ટીમ છોડી શકે છે. સમાચાર છે કે જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પણ ટીમ છોડી શકે છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.