Ruturaj Gaikwad: આ દિવસોમાં વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડનું નામ જ સાંભળવા મળી રહ્યું છે. ગાયકવાડ સતત એક પછી એક સદી ફટકારી રહ્યો છે. હવે તેણે સૌરાષ્ટ્ર સામે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં પણ સદી ફટકારી હતી. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડે 131 બોલમાં 108 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં કુલ 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની ઇનિંગને કારણે પ્રથમ બેટિંગ કરતા મહારાષ્ટ્રે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા.



ઋતુરાજ ગાયકવાડ ક્વાર્ટર ફાઈનલથી જ કહેર મચાવતો જોવા મળે છે. ક્વાર્ટર ફાઇનલમાં તેણે 149 બોલમાં 220 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે આ ઈનિંગ દરમિયાન સતત 7 સિક્સર મારવાનું કારનામું પણ કર્યું હતું. આ પછી ઋતુરાજે આસામ સામેની સેમીફાઈનલ રમતી વખતે પણ 126 બોલમાં 168 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ આજે સૌરાષ્ટ્ર સામે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં તેણે સદી ફટકારીને પોતાની ટીમ માટે શાનદાર યોગદાન આપ્યું હતું.


વિજય હજારે ટ્રોફી 2022માં ઋતુરાજે 276ની એવરેજથી સ્કોર કર્યો છે. તેણે ટૂર્નામેન્ટમાં કુલ ચાર ઇનિંગ્સ રમીને 552 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 122.67 રહ્યો છે. તે જ સમયે, આ ટ્રોફીમાં બેટ્સમેન એન જગદીશન 830 રન બનાવીને નંબર વન પર છે. તેણે 138.33ની એવરેજથી રન બનાવ્યા છે. તે જ સમયે, તેનો સ્ટ્રાઈક રેટ 125.38 રહ્યો છે.


સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે ટ્રોફીની લડાઈ


વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહારાષ્ટ્રની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા છે. 


IPL 2023: આઇપીએલમાં નહીં દેખાય આ ત્રણ દિગ્ગજોને જલવો, ઓક્શનમાં નથી આપ્યુ નામ


ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ સિઝન માટે 23 ડિસેમ્બર, 2022ને કોચ્ચીમાં ઓક્શનનુ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે, આ દરમિયાન આઇપીએલના ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આ આ વખતે ત્રણ દિગ્ગજ ખેલાડીઓ IPLનો ભાગ નહીં રહે. 


રિપોર્ટ પ્રમાણે, આ વખતે આઇપીએલ 2023માં સ્ટીવ સ્મિથ, ડ્વેન બ્રાવો, અને માર્નસ લાબુશાને જેવા દિગ્ગજો નહીં રમતા દેખાય. ખરેખરમાં આ ત્રણેય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ છે, પરંતુ તેમને IPLની મિની ઓક્શનમાં સામેલ થવા માટે નામ નથી આપ્યુ, આ ક્રિકેટરોએ નામ ના રજિસ્ટર કરાવવાથી હવે આઇપીએલ 2023 નહીં રમે તે નક્કી થઇ ગયુ છે.